Maharashtra : નવરાત્રી પહેલા સરકાર એક્શનમાં, BMCએ નવરાત્રીને લઈને ગાઈડનલાઈન કરી જાહેર
BMC દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, જાહેર પંડાલોની આરતી દરમિયાન માત્ર 10 લોકોને જ પંડાલમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
Maharashtra : મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) નવરાત્રિની ઉજવણી માટે માર્ગદર્શિકા જારી કરી છે અને નાગરિકોને કોવિડ -19 અને ડેન્ગ્યુના ખતરાને ધ્યાનમાં રાખીને તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવી છે. BMC દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન માત્ર પાંચ લોકોને જ એકત્ર થવાની મંજૂરી છે.
જાહેર પંડાલોમાં માત્ર 10 જ લોકો હાજર રહી શકશે
માર્ગદર્શિકા અનુસાર, જાહેર પંડાલોની આરતી સમયે પંડાલમાં માત્ર 10 લોકો જ હાજર રહી શકશે. તેમજ દરેક લોકોએ સામાજિક અંતરનું સખત પાલન કરવું જરૂરી છે. આ સાથે ગણેશ ચતુર્થી ઉત્સવ વખતે લાદવામાં આવેલા પ્રતિબંધોની જેમ, BMC (Bombay Municipal Corporation) એ જાહેર પંડાલ માટે દુર્ગા મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ અને ખાનગી સમારોહ માટે 2 ફૂટ સુધીની મર્યાદા નક્કી કરી છે.
ઘરોમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની અપીલ
માર્ગદર્શિકા મુજબ જો વિસર્જનના દિવસ સુધીમાં જાહેર પંડાલ વિસ્તાર જો કન્ટેનમેન્ટ ઝોનમાં (Containment zone)ફેરવાઈ જાય, તો મૂર્તિનું મંડળ પરિસરમાં જ વિસર્જન કરવું પડશે. આ સાથે, સરકારે લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપર માટીની મૂર્તિઓને પ્રાધાન્ય આપવા અને ઘરોમાં અથવા નાગરિક સંસ્થાઓ દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ BMC એ ગણેશ ઉત્સવ બાદ તેમના વતનથી શહેરમાં પરત ફરતા લોકોનું ફરજીયાત પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.
નવરાત્રિ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે
દુર્ગા પૂજાનો આ નવ દિવસનો તહેવાર શારદીય નવરાત્રી (Navratri) તરીકે ઓળખાય છે. આ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ માટે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ઘરોમાં શાશ્વત જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 15 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.
આ પણ વાંચો: Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ