બોલિવૂડ સિંગર કેકેના મૃત્યુની કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની માગ, બીજેપી સાંસદ સૌમિત્ર ખાને અમિત શાહને લખ્યો પત્ર

સૌમિત્ર ખાને (Saumitra Khan) ગૃહમંત્રી અમિત શાહ પાસે માગ કરી છે કે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આ મામલાની તપાસ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે, જેથી કેકેને (KK Death Case) ન્યાય મળી શકે.

બોલિવૂડ સિંગર કેકેના મૃત્યુની કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની માગ, બીજેપી સાંસદ સૌમિત્ર ખાને અમિત શાહને લખ્યો પત્ર
BJP MP Soumitra KhanImage Credit source: TV9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 8:01 PM

બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકે (Singer KK Passed Away) ના નિધનથી તેમના ચાહકો સહિત આખો દેશ આઘાતમાં છે. કેકેના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. કેકેના મોતના મુદ્દે પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઘેરાયેલી જોવા મળી રહી છે. કેકેના મૃત્યુ પર ભાજપ અને કોંગ્રેસ બંને સવાલો ઉઠાવી રહ્યા છે. હવે બીજેપી સાંસદ સૌમિત્ર ખાને (MP Saumitra Khan) ગૃહમંત્રી અમિત શાહને કેકેના મૃત્યુ કેસની તપાસ કરવાની માગ કરી છે. તેમણે પત્ર લખીને કહ્યું છે કે કેકેના મૃત્યુની તપાસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવે.

સૌમિત્ર ખાને પત્રમાં કહ્યું છે કે સિંગર કેકે એક કોન્સર્ટ માટે કોલકાતા આવ્યા હતા. બીજેપી સાંસદે કહ્યું કે કેકે કાર્યક્રમમાં અસ્વસ્થતા અનુભવતા જોવા મળ્યા હતા. થોડા સમય પછી બધાને ખબર પડી કે કેકે હવે નથી. બીજેપી નેતા કહે છે કે આ ઘટનાને લઈને તેમના મનમાં અનેક શંકાઓ અને પ્રશ્નો છે. આ પ્રશ્નો તેમની સાથે સમગ્ર દેશના લોકોના મનમાં છે.

બીજેપી નેતાએ પૂછ્યું કે નઝરુલ મંચની ક્ષમતા 3000 લોકોની છે તો 7 હજાર લોકો ત્યાં કેવી રીતે પહોંચ્યા. સૌમિત્ર ખાને બીજો પ્રશ્ન પૂછ્યો કે શું સ્થળ પર કોઈ પોલીસકર્મી હાજર હતા કે નહીં. શું કોન્સર્ટના આયોજકે શો વિશે સંબંધિત ચોકીને જાણ કરી હતી? નઝરુલ મંચના કાર્યપાલક ઈજનેર દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ ક્યાં છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

‘ટીએમસીના નેતાઓ હોસ્પિટલમાં શું કરી રહ્યા હતા?’

બીજેપી નેતાએ સવાલ કર્યો છે કે કેકેના પોસ્ટમોર્ટમ સમયે ટીએમસીના નેતાઓ હોસ્પિટલમાં શું કરી રહ્યા હતા. આ દરમિયાન સુભેન્દુ અધિકારી સહિત અન્ય લોકોને હોસ્પિટલમાં આવવાની કેમ ના પાડી? ઓડિટોરિયમમાં એસી ચાલતું ન હતું તો કાર્યક્રમની મંજુરી કોણે આપી. આ તમામ સવાલો ભાજપના નેતા સૌમિત્ર ખાને કેકેના મૃત્યુને લઈને ઉઠાવ્યા છે. સૌમિત્રા ખાને ગૃહમંત્રી અમિત શાહ પાસે માગ કરી છે કે આ તમામ સવાલોના જવાબ માટે આ મામલાની કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે, જેથી કેકેને ન્યાય મળી શકે.

કેકેના મૃત્યુ કેસમાં મમતા સરકાર પર સવાલ

જણાવી દઈએ કે 30 મેના રોજ કોલકાતામાં એક કોન્સર્ટ બાદ બોલિવૂડ સિંગર કેકેનું નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કેકેના હૃદયનું પમ્પિંગ બંધ થઈ ગયું હતું. તેના લક્ષણો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા, પરંતુ તેઓ તેની અવગણના કરતા રહ્યા. આ મામલે મમતા સરકાર સવાલોના ઘેરામાં છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">