Maharashtra: શિવસેનાએ ‘સામના’ નું નામ બદલી નાંખવું જોઈએ, ભાજપના નેતા આશિષ શેલારનો સંજય રાઉત પર પ્રહાર

વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું હતું કે સ્વતંત્રતાનો તહેવાર 15 મી ઓગસ્ટે જરૂર ઉજવવો જોઈએ પરંતુ તેના એક દિવસ પહેલા ભાગલાની પીડાને યાદ કરવી જોઈએ.

Maharashtra:  શિવસેનાએ 'સામના' નું નામ બદલી નાંખવું જોઈએ, ભાજપના નેતા આશિષ શેલારનો સંજય રાઉત પર પ્રહાર
BJP Ashish Shelar attacks on Shivsena MP Sanjay Raut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 10:55 PM

ભાજપ(Bjp)ના ધારાસભ્ય આશિષ શેલારે શિવસેના(Shivsena) ના મુખપત્ર ‘સામના’નું(Samna) નામ બદલીને’ પાકિસ્તાનનામા ‘અથવા’ બાબરનામા ‘કરવાનું સૂચન કર્યું છે. શિવસેના સાંસદ સંજય રાઉત(Sanjay Raut) દ્વારા ‘રોકઠોક’ નામથી પ્રકાશિત થયેલા લેખ પર આપત્તિ દર્શાવતા તેમણે આ નિવેદન આપ્યું છે.

સંજય રાઉતે પોતાના લેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 14 ઓગસ્ટના ભારતના ભાગલાને એક દુર્ઘટના તરીકે યાદ કરવાના આહ્વાન પર ટિપ્પણી કરી હતી.

વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું હતું કે ભારતના ભાગલાને ભૂલશો નહીં. તેમણે 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ સ્મારક તરીકે મનાવવાનું કહ્યું છે. એટલે કે, સ્વતંત્રતાનો તહેવાર 15 મી ઓગસ્ટે જરૂર ઉજવવો જોઈએ પરંતુ તેના એક દિવસ પહેલા ભાગલાની પીડાને યાદ કરવી જોઈએ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ અંગે ટિપ્પણી કરતા સંજય રાઉતે લખ્યું કે નાથુરામ ગોડસેએ પાકિસ્તાન નિર્માણ માટે નિશસ્ત્ર મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવ્યા અને તેમના પર ગોળીઓ ચલાવી. તેના બદલે, જો તેણે બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા પર પોતાની પિસ્તોલ ચલાવી હોત તો દેશનું વિભાજન ન થયું હોત અને આજે ભાગલાને દુર્ઘટના તરીકે યાદ રાખવાની જરૂર ન હોત.

સંજય રાઉતના આ સવાલનો જવાબ આશિષ શેલારે આક્રમકતાથી આપ્યો છે.

આશિષ શેલારે સંજય રાઉત પર આ રીતે પ્રહાર કર્યો

આશિષ શેલારે કહ્યું છે કે સંજય રાઉત કોંગ્રેસ દ્વારા ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. જેને રાઉત પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે કે, રાઉત કોંગ્રેસના ઇતિહાસને બદલવાના પ્રયાસોને ટેકો આપી રહ્યા છે. દેશનું વિભાજન ઝીણાને કારણે થયું.

આ અંગે બે મત હોવાનું કોઈ કારણ નથી. ગાંધીજી પર ગોળીબાર, હુમલો અને ટેકો આપવાનો સવાલ જ ઉભો થતો નથી. સંજય રાઉત વિરોધાભાસી વાતો લખી રહ્યા છે અને મૂંઝવણો પેદા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યું હતું કે, કેટલાક લોકો હજુ પણ પંડિત ગોડસેની મૂર્તિની પૂજા કરે છે, જેમણે ગાંધીની હત્યા કરી હતી. તેઓ તેના ફાંસીનો દિવસ ઉજવે છે. ગોડસેને શ્રદ્ધાંજલિ તરીકે, તેઓ ગાંધીની પ્રતિમા પર ગોળીબાર કરીને ફરી એક વખત ગાંધી હત્યાની ઉજવણી કરે છે.

આ રીતે કોઈ વિભાજન ન થવું જોઈએ તેવું કહેનાકા મુઠ્ઠીભર લોકોનું વર્તન પણ આવું જ હતું.

જો તે સમયે ભાગલા વિરોધી ગોડસેએ પાકિસ્તાનને રટ લગાવનાર જિન્ના પર પિસ્તોલ ચલાવી હોત, તો 75 વર્ષ પછી, પાર્ટીશનને દુર્ઘટના ગણીને યાદ કરવાની કોઈ તક ન હોત. ગોડસેએ નિશસ્ત્ર ગાંધીની હત્યા કરી હતી. કારણ કે તેમના મતે ભાગલા માટે તેઓ માત્ર એક જ દોષિત હતા. તો જિન્ના કોણ હતા? ”

આ કારણથી શેલારે કહ્યું કે ‘સામના’ નું નામ ‘પાકિસ્તાનનામા’ હોવું જોઈએ.

શેલારનું કહેવું છે કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 14 ઓગસ્ટને ભાગલાને એક દુર્ઘટના તરીકે યાદ રાખવી જોઈએ, તેને ભૂલવી ન જોઈએ. તેનાથી પાકિસ્તાનના પેટમાં દુખવા માંડ્યું. પાકિસ્તાનના પેટમાં જે દુખાવો થઈ રહ્યો છે.

તે જ પીડા શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સંજય રાઉતના લેખમાં ઉતરી રહી છે. તેથી, હવે સામનાનું નામ બદલી નાખવું જોઈએ અને તેનું નામ ‘પાકિસ્તાનાનામા’ અથવા ‘બેબરનામા’ રાખી દેવું જોઈએ.

આ પણ  વાંચો : એવું તો શું થયું કે આ વ્યક્તિએ પોતાની સાસુની ગોળી મારીને કરી નાખી હત્યા, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">