Bhima Koregaon Case: આતંકી કાવતરાને પાર પાડવા JNUના વિદ્યાર્થીઓની કરવામાં આવી હતી ભરતી, NIAની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો
NIAએ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. તેમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ આતંકી કાવતરાને પાર પાડવા માટે દેશની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ JNU અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (મુંબઈ)ના વિદ્યાર્થીઓની ભરતી કરી હતી.
ભીમા કોરોગાંવ હિંસા (Bhima Koregaon Case) કેસમાં NIAએ પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાંથી આ કેસમાં મોટો અને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. NIA દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે એલ્ગાર પરિષદ અને માઓવાદીઓ વચ્ચે સંબંધ છે. NIAએ 16 આરોપીઓ અને છ ફરાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.
આ સાથે NIAએ કહ્યું છે કે આરોપીઓએ સરકાર અને તેના નાગરિકો વિરુદ્ધ કાવતરું ઘડીને ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમ ઉભું કર્યો છે. તેઓ દેશ વિરુદ્ધ યુદ્ધ કરીને તેમની સરકાર ચલાવવા માંગતા હતા.
JNU અને TISSના વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી હતી
NIAએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી. તે પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ આતંકવાદી કાવતરાને પાર પાડવા માટે દેશની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ JNU અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (મુંબઈ)ના વિદ્યાર્થીઓની ભરતી કરી હતી. દેશ વિરુદ્ધ ષડયંત્ર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેમાં આ વિદ્યાર્થીઓનો ઉપયોગ થવાનો હતો.
NIAના જણાવ્યા અનુસાર આ કેસમાં પકડાયેલા આરોપીઓ મણિપુરમાં આતંકવાદી સંગઠનોને M4 હથિયારો અને 4 લાખ રાઉન્ડ (કારતુસ) સપ્લાય કરવા માટે 8 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં રોકાયેલા હતા. આ હથિયારો દ્વારા આરોપી મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને નિશાન બનાવવા માંગતા હતા.
શું છે પૂરો મામલો?
2018માં મહારાષ્ટ્રના પૂણે નજીક ભીમા કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી. આના એક દિવસ પહેલા એલ્ગાર પરિષદે પૂણેમાં એક પરિષદ યોજી હતી. NIAનો આરોપ છે કે આ કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ NIAની તપાસમાં સામે આવ્યું હતું કે મોદી સરકારને બદનામ કરવા માટે લઘુમતિ સમુદાયને ભેગા કરીને એક હથિયાર બંધ સંગઠન ઊભું કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. જેમાં આરોપી પાસેથી મળેલા દસ્તાવેજોથી કોઈ મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા હતા.