Antilia Case : પરમબીરસિંઘે કર્યો બીજો ધડાકો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી CBI તપાસની માંગ

Antilia Case : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખડાવ્યો છે અને સમગ્ર કેસની CBI તપાસની માંગ કરી છે.

Antilia Case : પરમબીરસિંઘે કર્યો બીજો ધડાકો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી CBI તપાસની માંગ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 22, 2021 | 7:14 PM

Antilia Case : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉતાર-ચડાવ સતત વધી રહ્યા છે. ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર દર મહિને 100 કરોડની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ  વિરોધી પક્ષો મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના રાજીનામાની માંગ પર અડગ છે. આ તમામ ઘટના વચ્ચે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે.

પરમબીરસિંઘે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પૂર્વ પોલીસ કમિશનરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માંગ કરી છે. પરમબીરસિંઘે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે પૂરાવાઓનો નાશ કરી દેવામાં આવે એ પહેલા અનિલ દેશમુખ ઉપર ખંડણી અને ભ્રષ્ટાચારના આરોપો અંગે તુરંત સીબીઆઈ તપાસ શરૂ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી પરમબીર સિંહની તરફેણ રજૂ કરશે.

અનિલ દેશમુખના ઘરના CCTVની તપાસની કરી માંગ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘે હોમગાર્ડ વિભાગમાં બદલી કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પિટિશનમાં સીબીઆઈ દ્વારા તમામ આરોપોની તપાસ કરવાની માંગ સાથે અનિલ દેશમુખના ઘરની બહારના CCTV ફૂટેજ કબજે કરી તેની તપાસ કરાવવાની પણ માંગ કરી છે જેથી તમામ તથ્યો સામે આવી શકે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દેશમુખ તેમના ઘરે મિટિંગો રાખતા હતા : પરમબીર પરમબીરસિંઘે અરજીમાં જણાવાયું છે કે અનિલ દેશમુખે ફેબ્રુઆરી મહિનામાં પોતાના નિવાસ સ્થાને અનેક બેઠકો કરી હતી. મુંબઈ ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટના ઇન્સ્પેક્ટર સચિન વાઝે અને મુંબઇ સોશ્યલ સર્વિસ બ્રાંચના એસીપી સંજય પાટિલે પોતાના સિનિયરોને બાયપાસ કરીને તે બેઠકોમાં ભાગ લીધો હતો.

અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો આરોપ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કાર મળવાના મામલામાં હટાવવામાં આવેલા મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંઘે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. અનિલ દેશમુખે અગાઉ આ દાવાઓને ખોટા ગણાવ્યા અને પરમબીરસિંઘ પર માનહાનિનો દાવો કર્યો હોવાનું જણાવ્યું છે. પરમબીરસિંઘના આરોપો બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે સંસદ ભવનમાં આ મુદ્દાના પડઘા પડ્યા હતા.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">