શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી, 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી
શિવસેનાના વ્હીપ ચીફ સુનિલ પ્રભુએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અને અન્ય 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમની સામે ગેરલાયકાતની અરજીઓ દાખલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે (Eknath Shinde) મુખ્યમંત્રી બન્યાના એક દિવસ બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યા છે. ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટ પાસે 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. શિવસેનાના વ્હીપ ચીફ સુનિલ પ્રભુએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અન્ય 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમની સામે ગેરલાયકાતની અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને 11મીએ જ સુનાવણી કરવાનું કહ્યું હતું.
ઉદ્ધવ જૂથ વતી કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગ કરી હતી. સરકારની રચના સામે સુનાવણીની માગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સિબ્બલે કોર્ટમાં કહ્યું કે એકનાથ શિંદેને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પરંતુ શિવસેના ભાજપમાં ભળ્યું નથી. તેમ જ એકનાથ શિંદેની શિવસેના અલગ થઈ નથી. વહેલી સુનાવણી થવી જોઈએ. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટનું કહેવું છે કે આ કેસની સુનાવણી 11મીએ જ થશે.
Shiv Sena Chief Whip Sunil Prabhu moves Supreme Court seeking suspension from House, of Maharashtra CM Eknath Shinde & 15 other MLAs against whom disqualification petitions are filed, till a final decision is taken on their disqualification. pic.twitter.com/iTkLUyBK8k
— ANI (@ANI) July 1, 2022
બળવાખોરોએ પોતાનો રસ્તો પસંદ કર્યો છે, તેમને નિર્ણય પર પસ્તાવો થશેઃ રાઉત
બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે ફરી બળવાખોરો પર પ્રહારો કર્યા હતા. રાઉતે કહ્યું કે બળવાખોરોએ પોતાનો રસ્તો પસંદ કર્યો છે અને તેમના નિર્ણય પર પસ્તાવો થશે. તેમણે એમ પણ કહ્યું કે શિવસેના સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે. તેણે એક તસવીર પણ શેર કરી જેમાં એક વ્યક્તિ ઉદ્ધવ ઠાકરે જેવા કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે અને તેની પીઠ પરના ઘામાંથી લોહી નીકળી રહ્યું છે.
રાઉતે એમ પણ લખ્યું છે કે, આ બરાબર થયું છે. મુખ્યમંત્રી તરીકે બુધવારે કેબિનેટની છેલ્લી બેઠકની અધ્યક્ષતા કરતા, ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પોતાના લોકોએ તેમની સાથે દગો કર્યો. રાઉતે કહ્યું કે શિવસેના, જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડી સરકારનું નેતૃત્વ કરી રહી છે, તે સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે.