અને જ્યારે શિંદે એ હળવા સ્મિત સાથે કહ્યુ, ‘મારા જમાઈ ગુજરાતી છે, તેથી જ મેં ત્યાંના લોકોને આરક્ષણ આપ્યું’
પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શિંદે(Sushil Kumar Shinde)એ ગુજરાતી સમાજને અનામતને લઈને મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ આ પગલાનું કારણ તેમના જમાઈને જણાવ્યું છે.
પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા સુશીલકુમાર શિંદે(Sushil Kumar Shinde)એ સોલાપુર(Solapur)માં એક કાર્યક્રમ દરમિયાન કોઈ પણ નેતાનું નામ લીધા વગર પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન શિંદેએ આરક્ષણ પર એવું નિવેદન આપ્યું, જેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. સુશીલ કુમાર શિંદેએ અહીં જણાવ્યું હતું કે હું જ્યારે રાજ્યનો મુખ્યપ્રધાન હતો ત્યારે મેં ગુજરાતી સમાજ(Gujarati Community)ને 2% અનામત આપી હતી. મારા જમાઈ ગુજરાતી હોવાને કારણે અનામત આપી હતી.
TV9 મરાઠીના સમાચાર મુજબ સુશીલ કુમાર શિંદે સોલાપુર ગુજરાતી સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. સોલાપુરમાં ગુજરાતી સમાજના લોકોને સંબોધિત કરતી વખતે શિંદેએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે જ્યારે હું રાજ્યનો મુખ્યમંત્રી હતો ત્યારે મેં ગુજરાતી સમાજને 2% અનામત આપી હતી. મેં એક સારું કામ કર્યું, પરંતુ લોકો હવે ભૂલી ગયા છે કે સુશીલકુમાર શિંદેએ કોઈ સારું કામ કર્યું હતું. મારા જમાઈ ગુજરાતી હોવાને કારણે અનામત આપી છે.
જમાઈનું ધ્યાન રાખવા માટે કરવું પડે
શિંદેએ વધુમાં કહ્યું કે, પરંતુ તેઓ જાણે છે કે કેવી રીતે ષડયંત્ર દ્વારા મને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને આંધ્રપ્રદેશનો રાજ્યપાલ બનાવવામાં આવ્યો. પણ ઠીક છે. તે પછી હું પણ કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયો. પણ જેઓ એક વાર હારી ગયા એ આજ સુધી હારતા જ રહે છે. તેમ છતાં, મને લાગે છે કે આપણે આપણું કામ પ્રમાણિકતાથી કરતા રહેવું જોઈએ. શિંદેએ કહ્યું છે કે મેં મારા જમાઈના કારણે ગુજરાતી સમુદાયને અનામત આપી.તેણે કહ્યું કે જ્યારે તેને જમાઈનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે ત્યારે તેણે આ બધું કરવું પડે છે. અનામતને લઈને સુશીલ કુમાર શિંદેના નિવેદન બાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસમાં રચાયેલા કાવતરાનો પણ ઉલ્લેખ
ગુજરાતી અનામતની સાથે જ શિંદેએ કોંગ્રેસને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સુશીલકુમાર શિંદેએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં કાવતરાં વાંચી રહ્યા છે. પાર્ટીના લોકોએ મને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનું કાવતરું ઘડ્યું. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ હાર્યા છે.