Maharashtra: પુણે નજીક ટ્રેનર વિમાન ક્રેશ થયું, મહિલા પાયલોટનો આબાદ બચાવ
મહારાષ્ટ્રના પુણેમાં આજે સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થીનું વિમાન એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા હતા.
Trainee Aircraft Crashed : મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સોમવારે સવારે લગભગ 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન એક ખેતરમાં ક્રેશ થયું હતું, જેમાં 22 વર્ષની મહિલા પાઈલટ (female pilot)ને ઈજા થઈ હતી. જોકે, સદનસીબે તેને વધારે ઈજા થઈ ન હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેન જે સમયે ખેતરમાં પડ્યું તે સમયે નજીકમાં ખેડૂતો પણ કામ કરી રહ્યા હતા. લોકોએ જણાવ્યું કે અકસ્માત બાદ ત્યાં કામ કરતા ખેડૂતો ડરી ગયા હતા.
Maharashtra | A trainee aircraft crashed in a farm in Kadbanwadi village of Indapur taluka in Pune district today around 11.30 am. A 22-year-old woman pilot injured. pic.twitter.com/XCUYo8xROn
— ANI (@ANI) July 25, 2022
આ અકસ્માતમાં ભાવિકા રાઠોડ ઘાયલ થઈ છે, જેને શેલગાંવની નવજીવન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દુર્ઘટનામાં સામેલ વિમાન રેડબર્ડ એવિએશનનું છે, જે પુણેના બારામતીમાં સ્થિત છે. જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઈમરજન્સી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
#WATCH | Maharashtra: A trainee aircraft crashed in a farm in Kadbanwadi village of Indapur taluka in Pune district today around 11.30am. 22-yr-old trainee pilot, Bhavika Rathod injured. Aircraft belongs to Carver Aviation, Baramati. Its staff present at spot. Investigation is on pic.twitter.com/Z895LQAXn2
— ANI (@ANI) July 25, 2022
ગયા મહિને પણ લેન્ડિંગ થયું હતું
કાર્વર એવિએશન પ્રાઈવેટ લિમિટેડની એકેડેમીની સ્થાપના 19 ઓગસ્ટ, 1995ના રોજ થઈ હતી. તે ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, ભારત સરકાર) દ્વારા માન્ય સંસ્થા છે. આ ટ્રેની એકેડમી મહારાષ્ટ્રના બારામતીના વરસાદી છાયા વિસ્તારમાં આવેલી છે. ગયા મહિને, જૂન 2022 માં, રેડ બર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) ટેકનામ P2008 એરક્રાફ્ટનું મહારાષ્ટ્રના બારામતી રનવે પર હાર્ડ લેન્ડિંગ થયું હતું.
ગયા મહિને, ઉત્તર પ્રદેશના રાયબરેલીના ફુરસતગંજ ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદાન અકાદમી (IGRUA) તરફથી તાલીમાર્થી વિમાનનેલેન્ડિંગકરવાની ફરજ પડી હતી. ડીજીસીએએ બળજબરીથી લેન્ડિંગની ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. ૉ