Mumbai: COVID-19 રસીકરણની નોંધણી માટે લાઈનમાં રાહ જોઈ રહેલા 63 વર્ષના વ્યક્તિનું મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વિરુદ્ધ યુદ્ધમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈ મહાનગર હેઠળ આવતા નાલા સોપારાથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વિરુદ્ધ યુદ્ધમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈ મહાનગર હેઠળ આવતા નાલા સોપારાથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. નાલાસોપારા (પશ્ચિમ) માં COVID-19 રસીકરણ માટે નોંધણી માટે ગયેલા એક 63 વર્ષીય વ્યક્તિનું શુક્રવારે લાઇનમાં રાહ જોતી વખતે મોત નીપજ્યું હતું.
નાલાસોપારા (પશ્ચિમ) માં પાટણકર પાર્કના રહેવાસી હરીશ પંચાલ રસીકરણ માટે રજિસ્ટ્રેશન સેન્ટર ગયા હતા. શુક્રવારે સવારે દસ વાગ્યે નોંધણી માટે કેન્દ્રની બહાર લાઈનમાં ઉભા હતા. તે સમયે તેને બેચેની અનુભવી અને જમીન પર પડ્યા હતા. ત્યારબાદ તેને સિવિલ હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા.
વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો.સુરેખા વાલકેએ જણાવ્યું હતું કે, તેઓ ડાયાબિટીઝથી પીડિત હતા. મૃત્યુનું કારણ જાણવા લાશને પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.