Mumbai: COVID-19 રસીકરણની નોંધણી માટે લાઈનમાં રાહ જોઈ રહેલા 63 વર્ષના વ્યક્તિનું મોત

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વિરુદ્ધ યુદ્ધમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈ મહાનગર હેઠળ આવતા નાલા સોપારાથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે.

Mumbai: COVID-19 રસીકરણની નોંધણી માટે લાઈનમાં રાહ જોઈ રહેલા 63 વર્ષના વ્યક્તિનું મોત
Corona Vaccination
Follow Us:
| Updated on: Mar 12, 2021 | 10:48 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વિરુદ્ધ યુદ્ધમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈ મહાનગર હેઠળ આવતા નાલા સોપારાથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. નાલાસોપારા (પશ્ચિમ) માં COVID-19 રસીકરણ માટે નોંધણી માટે ગયેલા એક 63 વર્ષીય વ્યક્તિનું શુક્રવારે લાઇનમાં રાહ જોતી વખતે મોત નીપજ્યું હતું.

નાલાસોપારા (પશ્ચિમ) માં પાટણકર પાર્કના રહેવાસી હરીશ પંચાલ રસીકરણ માટે રજિસ્ટ્રેશન સેન્ટર ગયા હતા. શુક્રવારે સવારે દસ વાગ્યે નોંધણી માટે કેન્દ્રની બહાર લાઈનમાં ઉભા હતા. તે સમયે તેને બેચેની અનુભવી અને જમીન પર પડ્યા હતા. ત્યારબાદ તેને સિવિલ હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો.સુરેખા વાલકેએ જણાવ્યું હતું કે, તેઓ ડાયાબિટીઝથી પીડિત હતા. મૃત્યુનું કારણ જાણવા લાશને પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">