Maharashtra : કોરોના સંક્રમણે વધારી તંત્રની ચિંતા, જાણો રાજ્યમાં એક દિવસમાં વધુ કેટલા કેસ નોંધાયા
મુંબઈમાં એક દિવસમાં કોરોના વાયરસના (Corona) વધુ 845 નવા કેસ નોંધાયા અને કુલ 11 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણનો આંકડો 16 લાખને પાર પહોંચી ગયો છે.
Maharashtra : રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રવિવારે કોરોના વાયરસના વધુ 4,666 નવા કેસો આવવાથી રાજ્યમાં કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 64,56,939 થઈ ગઈ છે. ઉપરાંત કોરોનાને કારણે વધુ 131 દર્દીઓના મોત થયા છે, જેને કારણે મૃત્યુઆંક વધીને 1,37,157 થયો છે.
રાજ્યમાં એક દિવસમાં વધુ 4,666 કેસો નોંધાયા
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,510 દર્દીઓએ કોરોનાને(Corona) મ્હાત આપી છે અને તેમને હાલ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે, આ સાથે અત્યાર સુધીમાં 62,63,416 લોકો કોરોનાથી સાજા થયા છે. ઉપરાંત રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની રિકવરી રેટ 97 ટકા પહોંચ્યો છે અને સંક્રમણ દર 2.12 ટકા નોંધાયુ છે.તમને જણાવી દઈએ કે હાલમાં 52,844 દર્દીઓ સારવાર હેઠળ છે.
મળતા માહિતી મુજબ,રાજ્યમાં જાલના, અકોલા, યવતમાલ, નાગપુર, વર્ધા, ભંડારા, ગોંડિયા જિલ્લાઓ અને પરભણી શહેરમાં રવિવારે એક પણ કોરોના કેસ નોંધાયો નથી, ઉપરાંત વિદર્ભ પ્રદેશના નાગપુર અને અકોલા વિભાગમાં એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી.
મુંબઈમાં કોરોના વાયરસના નવા 845 કેસ સામે આવ્યા
જો મુંબઈની વાત કરવામાં આવે તો શહેરમાં કોરોના વાયરસના નવા 845 કેસ સામે આવ્યા છે અને કુલ 11 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ 16,62,394 સુધી પહોંચ્યુ છે, જેમાંથી 34,976 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.
ચિલ્ડ્રન હોમના 18 બાળકો કોરોના સંક્રમિત
મુંબઈના પૂર્વીય ઉપનગર માનખુર્દમાં છેલ્લા ત્રણ દિવસમાં એક ચિલ્ડ્રન હોમના (Children Home) કુલ 18 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. મહાનગરપાલિકાના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે એક ચિલ્ડ્રન હોમમાંથી શુક્રવારે કુલ પંદર બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા, ત્યારબાદ તેમને ચેમ્બુરમાં એક અલગ વોર્ડમાં શિફ્ટ (Shift) કરવામાં આવ્યા હતા.જ્યારે બીજા દિવસે આ ચિલ્ડ્રન હોમમાંથી વધુ ત્રણ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા, હાલ તમામ બાળકોની શતાબ્દી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે ? કેન્દ્રની સૂચનાઓ પર CM ઉદ્ધવ ઠાકરે લઈ શકે છે નિર્ણય
આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં ટૂંક સમયમાં શાળાઓ ખુલવાની સંભાવના, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપ્યું આ મહત્વનું નિવેદન