મહારાષ્ટ્રના અમરાવતીમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, 47 બીમાર પડ્યા, CM શિંદેની 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત

સીએમ શિંદે (CM Eknath Shinde)એ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત લોકો અમરાવતીના પંચ ડોંગરી અને કોયલરી ગામના રહેવાસી છે.

મહારાષ્ટ્રના અમરાવતીમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, 47 બીમાર પડ્યા, CM શિંદેની 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત
CM Eknath Shinde (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 7:36 AM

મહારાષ્ટ્રના અમરાવતી (Amravati in maharashtra) જિલ્લાના બે ગામોમાં કુવાઓનું દૂષિત પાણી પીવાથી ત્રણ લોકોના મોત થયા (3 died after drinking contimated water from well) અને અન્ય 47 લોકો બીમાર પડ્યા. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અસરગ્રસ્ત લોકો અમરાવતીના પાંચ ડોંગરી અને કોયલારી ગામના રહેવાસી છે. ઘટનાની માહિતી મળ્યા પછી, મુખ્ય પ્રધાન શિંદેએ અમરાવતી જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપ્યો કે અસરગ્રસ્ત લોકોને વહેલી તકે સારવાર આપવામાં આવે અને જો જરૂર હોય તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

સીએમ એકનાથ શિંદે હાલ બે દિવસીય દિલ્હી પ્રવાસ પર છે. તેઓ ગઈ કાલે (9 જુલાઈ, શનિવાર) દિલ્હીનો પ્રવાસ પૂરો કરીને ખાનગી વિમાનમાં પૂણે જવા રવાના થયા. આ પછી તેઓ આજે પંઢરપુરની અષાઢી એકાદશીની પૂજામાં ભાગ લેશે. આ દુ:ખદ ઘટના અંગે મુખ્યમંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ખુલ્લા કૂવાનું દૂષિત પાણી પીવાથી ઓછામાં ઓછા 50 લોકો બીમાર પડ્યા છે અને તેમાંથી ત્રણના મોત થયા છે.

દૂષિત પાણી પીવાથી 3ના મોત, 47 બીમાર, 231 લોકો અસરગ્રસ્ત

નિવેદન મુજબ, પીડિતોને ડાયરિયા થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે મુખ્યમંત્રીને જણાવ્યું કે કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે. ઝાડા-ઊલટીને કારણે 3 લોકોના મોત થયા છે, 47ની હાલત ગંભીર છે અને 231 લોકો દૂષિત પાણીથી પ્રભાવિત થયા છે. ઘટનાની માહિતી મળતાં, સીએમ શિંદેએ દિલ્હીની મુલાકાત દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કર્યો અને ઘટના વિશે સંપૂર્ણ માહિતી લીધી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સીએમ શિંદેએ જિલ્લા મેજિસ્ટ્રેટને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે તેમના જીવન બચાવવા માટે તમામ પગલાં લેવામાં આવે અને અસરગ્રસ્ત લોકોની સારવાર સરકારના ખર્ચે કરવામાં આવે. સીએમ શિંદેએ એ પણ નિર્દેશ આપ્યો છે કે જો જરૂરી હોય તો અસરગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે. મૃત્યુઆંક ન વધે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">