શાહરૂખ ખાનનાં બંગલા મન્નતને પ્લાસ્ટીક શીટથી ઢાંકી દેવાયો,કારણ માટે વાંચો આ લેખ
બોલીવુંડનાં કિંગખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) એમ તો પોતાના સ્ટાર ડમને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ વખતે આ કલાકાર પોતાનાં બંગલા મન્નતને લઈ ખુબજ ચર્ચામાં છે. હાલમાં જ મન્નત બંગલાની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે કે જેમાં મન્નતની બાલકની પ્લાસ્ટીકથી ઢંકાયેલી જોવા મળી રહી છે. મિડિયા રીપોર્ટસ મુજબ […]
બોલીવુંડનાં કિંગખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) એમ તો પોતાના સ્ટાર ડમને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ વખતે આ કલાકાર પોતાનાં બંગલા મન્નતને લઈ ખુબજ ચર્ચામાં છે. હાલમાં જ મન્નત બંગલાની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે કે જેમાં મન્નતની બાલકની પ્લાસ્ટીકથી ઢંકાયેલી જોવા મળી રહી છે. મિડિયા રીપોર્ટસ મુજબ અને ફેન ક્લબમાં ચાલી રહેલી ચર્ચા મુજબ શાહરૂખ ખાને(Shah Rukh Khan) પોતાના ઘરને વરસાદથી બચાવવા માટે આ પ્લાસ્ટીક શીલ્ડ ચઢાવી છે. શાહરૂખ ખાન દર વર્ષે આ સીઝનમાં આ પ્રકારે કરતા હોય છે. જણાવી દઈએ કે મન્નતમાં શાહરૂખ તેની પત્નિ ગૌરી ખાન અને ત્રણ બાળકો સાથે રહે છે.
પાછલા મહિને જ શાહરૂખ મન્નતની બાલ્કનીમાં શૂટિંગ કરતા નજરે પડ્યા હતા, એ વડિયો અને ફોટા પણ ખુબ જ વાયરલ થયા હતા. તાજેતરમાં શાહરૂખ ખાન(Shah Rukh Khan)નો એક જુનો વિડિયો વાયરલ થયો હતો કે જેમાં તેભીડ વચ્ચે ઘેરાયેલો જોવા મળે છે અને એક ફેનને તેને મળવાનો મોકો મળે છે તો તે ખુશીથી રડવા લાગે છે.
જણાવી દઈએ કે બોલીવુડનાં કિંગ શાહરૂખ ખાને (Shah Rukh Khan) આનંદ રાયની ઝીરો ફિલ્મ પછી કોઈ ફિલ્મ નથી કરી જેને લઈને તેના ફેન્સ સતત તેની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં એક ન્યૂઝ મુજબ શાહરૂખ, રાજકુમાર હિરાની સાથે ફિલ્મ કરતા નજરે પડશે. સામાજીક કોમેડી પર આધારિત આ ફિલ્મની કથામાં તે પંજાબથી કેનેડા જતા જોવા મળશે અને અપ્રવાસ તેનો આધાર રહેશે.