પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેનને લઈ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર આમને-સામને
પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેન ચલાવવાના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને છે. એક તરફ જ્યાં મજૂરો તેમના વતન જવા માટે રેલવેના ભરોસે બેઠા છે તો ત્યારે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકાર એક બીજા તરફ આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. રાજ્ય સરકાર જ્યા કહે છે કે પ્રવાસી મજૂરો માટે રેલવે તેમને (મહારાષ્ટ્ર સરકાર) પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ […]
પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેન ચલાવવાના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને છે. એક તરફ જ્યાં મજૂરો તેમના વતન જવા માટે રેલવેના ભરોસે બેઠા છે તો ત્યારે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકાર એક બીજા તરફ આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. રાજ્ય સરકાર જ્યા કહે છે કે પ્રવાસી મજૂરો માટે રેલવે તેમને (મહારાષ્ટ્ર સરકાર) પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી, ત્યારે રેલવે મંત્રી પીષૂય ગોયલ મહારાષ્ટ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સમગ્ર વિવાદની શરૂઆત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનથી થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મજૂરો માટે રેલવે મહારાષ્ટ્ર સરકારને પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી. ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે તેમની સરકાર પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે 80 ટ્રેનની માગ કરી રહી છે પણ કેન્દ્ર રોજ માત્ર 30થી 40 ટ્રેન જ ઉપલબ્ધ કરાવી રહી છે.
હવે પીષૂય ગોયલના નિવેદન બાદ સમગ્ર મામલામાં શિવસેવા સાંસદ સંજય રાઉત જોવા મળ્યા છે. તેમને ટ્વીટ કર્યુ કે મહારાષ્ટ્ર સરકારને તમને શ્રમિકોનું લીસ્ટ આપ્યું છે જે ઘરે જવા ઈચ્છે છે. તમને આ માત્ર અનુરોધ છે કે ટ્રેનો પહેલા કરેલી જાહેરાત મુજબ સ્ટેશન પહોંચી જાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]