Remdesivir Drugs : NCP નેતા નવાબ માલિકે લગાવ્યો આરોપ, કેન્દ્રએ મહારાષ્ટ્રમાં રેમડેસિવિર ઈંજેક્શનની સપ્લાય પર લગાવી રોક
કેન્દ્રનું આવું વલણ ઘાતક છે. લોકો દવા વગર મારી રહ્યા છે અને મહારાષ્ટ્ર સરકાર આ રેમડેસીવીર ઈંજેકશન ખરીદવા માંગે છે તો વેચવાવાળાને રોકવામાં આવે છે જે ખોટું છે
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારના એનસીપી નેતા નવાબ મલિકે (Maharashtra minister Nawab Malik) કેન્દ્ર સરકાર પર રેમેડવીસવીર ઇન્જેક્શન (Remdesivir injection) ની સપ્લાયને લઈને આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રએ રેમેડિસવીર ઈન્જેક્શન સપ્લાય કરતી તમામ કંપનીઓને ધમકી આપી છે અને મહારાષ્ટ્રને આ દવા આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપ છે કે લાઇસન્સ રદ કરવા સુધી કેન્દ્રએ આ કંપનીઓને ધમકી આપી છે.
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, “અમારી માંગ પર કેન્દ્ર સરકારે રેમેડિસવીર ઈન્જેક્શન સપ્લાય કરતી કંપનીઓના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ 16 કંપનીઓ વિદેશમાં દવા નિકાસ કરી શકતી નથી. તેમને દેશની અંદર વેચવાની છૂટ છે.આ માટે મહારાષ્ટ્ર સરકારે તે કંપનીઓનો સીધો સંપર્ક કર્યો. જ્યારે કંપનીઓએ કેન્દ્રની મંજૂરી માંગી, ત્યારે કંપનીઓને કહેવામાં આવ્યું કે જો તમે આ દવા સીધા મહારાષ્ટ્ર સરકારને આપો છો, તો કાર્યવાહી કરવામાં આવશે.”
NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, ‘અમારી માંગને લઈને કેન્દ્ર સરકારે રેમડેસીવીરની સપ્લાય કરતી કંપનીઓની નિકાસ પર રોક લગાવી દીધી છે. હવે આ 16 કંપનીઓ વિદેશમાં દવા નિકાસ નહીં કરી શકતી અને માત્ર દેશની અંદર જ દવા વેચવાની મંજૂરી માંગી રહ્યા છે. મહારાષ્ટ્રએ આવી કંપનીઓનો સીધો સંપર્ક કર્યો, જેઆરથી કંપનીએ કેન્દ્રની અનુમતિ માંગી ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે જો આ દવા તેને આપવામાં આવશે તો તેના પર (કંપનીઓ પર) કાર્યવાહી કરવામાં આવશે.
નવાબ માલીકનું કહેવું છે કે, ‘કેન્દ્રનું આવું વલણ ઘાતક છે. લોકો દવા વગર મારી રહ્યા છે અને મહારાષ્ટ્ર સરકાર આ રેમડેસીવીર ઈંજેકશન ખરીદવા માંગે છે તો વેચવા વાળાને રોકવામાં આવે છે જે ખોટું છે. શું આ ભેદભાવઇ નીતિ નથી? શું મહારાષ્ટ્રમાં રહેતા નાગરિકો ભારતના છે કે નહીં ? આ કેન્દ્રની સરકારે જણાવવું પડશે.
મહારાષ્ટ્રમાં રેમડેસીવીર ઈંજેકશનની છે અછત એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના ખાધ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ)ના મંત્રી રાજેન્દ્ર શિંગણેએ કહ્યું હતું કે રાજયમાં આગલા બે ત્રણ દિવસ સુધી રેમડેસીવીરની 12 થી 15 હજાર રસીની કમી રહેશે. જેનો ઉપયોગ કોવિડ 19ના દર્દીઓના ઈલાજમાં થઈ રહ્યો છે. તેણે જણાવ્યુ છે કે દવા બનાવટી કંપનીઓએ ઉત્પ્પડાંમાં વધારો કર્યો છે પરંતુ બજારમાં આવતા હજુ ઘણો સમય લાગી જશે.
શિંગણે જણાવ્યુ કે, ‘ રેમડેસીવીર ઈંજેકશનનું ઉત્પાદન કરતી કંપનીઓએ તેના ઉત્પાદનમાં વધારો કર્યો છે, પરંતુ બાજરા સુધી પહોચતા થોડો સમય લાગશે. જો આગર આપણે 10 થી 12 ટકાની અછત પર વાત કરીઓ તો મહારાષ્ટ્રમાં આગલા બે ત્રણ દિવસ સુધી 12 થી 15 હજાર રેમડેસીવીર જથ્થાની કમી બની રહેશે.