ગરીબોને વાર્ષિક રૂ.72 હજાર બાદ રાહુલ ગાંધીનો વધુ એક વચન, જો કોંગ્રેસ સત્તામાં આવશે ‘નીતિ આયોગ’નું જ વિસર્જન કરી નાખશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સત્તા મેળવવા માટે સતત વાયદાઓની લાઈન લગાવી રહ્યા છે. અગાઉ તેમની સરકાર સત્તામાં આવી તો 25 કરોડ ગરીબોના ખાતામાં દર વર્ષે રૂ. 72,000 જમા કરાવવાના વચન બાદ વધુ એક મોટી જાહેરાત કરી હતી તે પછી હવે તેમણે નીતિ આયોગનો જ અંત લાવવાની વાત કરી છે. Web Stories View more ગરમી વધતા […]

ગરીબોને વાર્ષિક રૂ.72 હજાર બાદ રાહુલ ગાંધીનો વધુ એક વચન, જો કોંગ્રેસ સત્તામાં આવશે 'નીતિ આયોગ'નું જ વિસર્જન કરી નાખશે
Follow Us:
| Updated on: Mar 30, 2019 | 2:16 AM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સત્તા મેળવવા માટે સતત વાયદાઓની લાઈન લગાવી રહ્યા છે. અગાઉ તેમની સરકાર સત્તામાં આવી તો 25 કરોડ ગરીબોના ખાતામાં દર વર્ષે રૂ. 72,000 જમા કરાવવાના વચન બાદ વધુ એક મોટી જાહેરાત કરી હતી તે પછી હવે તેમણે નીતિ આયોગનો જ અંત લાવવાની વાત કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

લોકસભાની ચૂંટણીને જોતાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો તેઓ સત્તામાં આવ્યા તો નીતિ આયોગનો અંત આણવામાં આવશે. આ અંગે તેમને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જો તેઓ ચૂંટણી બાદ સત્તામાં આવશે તો નીતિ આયોગને વિખેરી નાખવામાં આવશે. આ આયોગે સરકારનું માર્કેટિંગ પ્રેઝંટેશન બનાવવા અને આંકડાની હેરાફેરી કરવા સિવાય કોઈ જ કામ કર્યું નથી.

અગાઉ રાહુલ ગાંધીની ન્યાય યોજના બાદ નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આ યોજનાના વિરોધમાં નિવેદન આપ્યું હતું. રાજીવ કુમારે કહ્યું હતું કે, જો આવી જોઈ સ્કીમ લાવવામાં આવી તો તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અત્યંત ગંભીર અસર પડશે. રાજીવ કુમારના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતાએ તેમની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : અમિત શાહની રેલી ન માત્ર અમદાવાદના રસ્તા પર પણ સોશિયલ મીડિયા પર પણ હશે વિશાળ, પહેલી વખત એથિકલ હેકર્સની પણ લેવામાં આવી મદદ

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, સત્તામાં પાછા ફરવા પર નીતિ આયોગના સ્થાને અત્યંત માઈક્રો પ્લાનિંગ કમિશનને લાવવામાં આવશે. આ આયોગના સભ્ય દેશના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ અને જાણકારો હશે. આ અયોગમાં 100 લોકો કરતા પણ ઓછો સ્ટાફ રાખવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">