World Food Safety Day 2022 : શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ ફૂડ એન્ડ સેફ્ટી ડે, જાણો તેનું મહત્વ, થીમ અને ઈતિહાસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ એન્ડ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને સ્વસ્થ આહાર વિશે જાગૃત કરવાનો છે. આ વખતે ચોથો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

World Food Safety Day 2022 : શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ ફૂડ એન્ડ સેફ્ટી ડે, જાણો તેનું મહત્વ, થીમ અને ઈતિહાસ
World Food Safety Day 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 5:11 PM

વાસી ખોરાક ખાવાથી દર વર્ષે ઘણા લોકો બીમાર પડે છે. લોકોને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day) ​ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્ષ 2019માં કરવામાં આવી હતી, જેથી કરીને લોકો સ્વસ્થ આહાર વિશે જાણી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે આ દિવસે એક અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે ચોથો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આવો જાણીએ આ અવસર પર આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો.

વિશ્વ ખાદ્ય અને સલામતી દિવસનું મહત્વ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દૂષિત ખોરાકને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. દર 10માંથી એક વ્યક્તિની બીમારીનું કારણ દૂષિત ખોરાક હોવાનું માનવામાં આવે છે. આમાં સૌથી મોટું સંકટ એવા બાળકો પર છે, જેમની ઉંમર 5 વર્ષથી ઓછી છે, કારણ કે આ ઉંમરે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને WHOએ 7 જૂનને વિશ્વ ખાદ્ય અને સલામતી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. વિશ્વ ખાદ્ય અને સલામતી દિવસનો હેતુ લોકોને ખોરાક અને તેનાથી થતા રોગો વિશે જાગૃત કરવાનો છે.

વિશ્વ ખાદ્ય અને સલામતી દિવસનો ઇતિહાસ

ડિસેમ્બર 2017 માં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ ખાદ્ય અને સલામતી દિવસની ઉજવણી માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો. 20 ડિસેમ્બર 2018 ના રોજ, વિશ્વ ખાદ્ય અને સલામતી દિવસની ઉજવણી કરવા માટે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી 7 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી અને આ દિવસ પ્રથમ વખત 7 જૂન 2019 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. WHO અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન આ દિવસની ઉજવણી માટે સાથે મળીને કામ કરે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

વિશ્વ ખાદ્ય અને સલામતી દિવસ 2022 ની થીમ

દર વર્ષે આ દિવસ માટે થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘સેફ ફૂડ, બેટર હેલ્થ’ છે. આ થીમ દ્વારા વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાકનું મહત્વ સમજાવવાનું છે. આ દિવસે ડબ્લ્યુએચઓ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સારા ખોરાક વિશે જાગૃતિ લાવવામાં આવે છે અને લોકોને ખરાબ કે વાસી ખોરાકથી થતા રોગો વિશે માહિતી આપવામાં આવે છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">