Aloe Vera Gel : ઉનાળામાં ત્વચાની તમામ સમસ્યામાં રાહત આપે છે એલોવેરા, આ રીતે કરો ઉપયોગ
ઉનાળામાં ત્વચાની સંભાળ માટે એલોવેરા જેલ (Aloe Vera Gel) શ્રેષ્ઠ છે. ચાલો જાણીએ કે તમે તેનો ત્વચા માટે કેવી રીતે ઉપયોગ કરી શકો છો.
Aloe Vera Gel: ઉનાળાની આકરી ગરમીને કારણે ત્વચા નિસ્તેજ અને નિર્જીવ બની જાય છે. આવી સ્થિતિમાં ત્વચાની વધુ કાળજી લેવાની જરૂર છે. ત્વચાને ચમકતી રાખવા માટે એલોવેરા જેલ (Aloe Vera Gel)નો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. તે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ફોલ્લીઓ, સનબર્ન, ખીલ, ખંજવાળ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
તે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. ઉનાળામાં ત્વચા (Skin Care) ની સંભાળ માટે તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો.
એલોવેરા જેલ લગાવો
આ માટે એક ચમચી એલોવેરા જેલ લો. આને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને રાત્રે સૂતા પહેલા લગાવો. આનાથી ગરદન અને ચહેરા પર મસાજ કરો. તેને ત્વચા પર રાતભર રહેવા દો. આ પછી બીજા દિવસે સવારે પાણીથી ચહેરો ધોઈ લો. ઉનાળામાં તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા જેલ અને તરબૂચનો ઉપયોગ કરો
એક કપ તાજા તરબૂચના ક્યુબ્સ લો. તેમને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. હવે તરબૂચનો રસ કાઢી લો. તેમાં એલોવેરા જેલ ઉમેરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરો.
એલોવેરા જેલ અને કાકડીનો ઉપયોગ કરો
આ માટે એક કાકડીને છીણી લો. આ છીણેલી કાકડીનો રસ કાઢી લો. આ રસમાં એલોવેરા જેલ ઉમેરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા જેલ અને મુલતાની માટીનો ઉપયોગ કરો
એક ચમચી મુલતાની માટી લો. તેમાં એલોવેરા જેલ ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા જેલ અને ફુદીનાનો ઉપયોગ કરો
આ પેક બનાવવા માટે કેટલાક ફુદીનાના પાન લો. તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. તેમાં એલોવેરા જેલ ઉમેરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)