Amarnath Yatra : જાણો અમરનાથ યાત્રા માટે ક્યારથી શરુ થશે રજિસ્ટ્રેશન અને કેવી રીતે કરાવી શકાશે નોંધણી

Amarnath Yatra :  કાશ્મીરમાં અમરનાથ જવાનું મન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં અમરનાથ ગુફા માટે રજિસ્ટ્રેશન શરુ થવા જઇ રહ્યું છે. રજિસ્ટ્રેશન શરુ થયા બાદ લોકોએ પહેલા અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

Amarnath Yatra : જાણો અમરનાથ યાત્રા માટે ક્યારથી શરુ થશે રજિસ્ટ્રેશન અને કેવી રીતે કરાવી શકાશે નોંધણી
Amarnath yatra
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 28, 2021 | 12:47 PM

Amarnath Yatra :  કાશ્મીરમાં અમરનાથ જવાનું મન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં અમરનાથ ગુફા માટે રજિસ્ટ્રેશન શરુ થવા જઇ રહ્યું છે. રજિસ્ટ્રેશન શરુ થયા બાદ લોકોએ પહેલા અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેઓ અમરનાથ જઇ શકશે. કોરોનાવાયરસના કારણે આ વખતે યાત્રીઓએ અનેક દિશા-નિર્દેશનું પાલન કરવું પડશે. આ વખતે કોરોનાના કારણે કેટલાય લોકોને યાત્રામાં જવા માટે પ્રવેશ નહી આપવામાં આવે. તો જાણીએ કે યાત્રા ક્યારથી શરુ થવાની છે અને યાત્રા માટે કેવીરીતે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

ક્યારથી શરુ થશે યાત્રા 

અમરનાથ ગુફા મંદિર 3,880 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. જેના માટે 56 દિવસની યાત્રા  પહલગામ અને બાલટાલ રસ્તાઓથી 28 જૂનથી શરુ થશે અને 22 ઓગષ્ટના રોજ પૂર્ણ થશે. જૂનના અંતમાં શરુ થનારી યાત્રા માટે પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવીને મંજૂરી લેવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ક્યારથી શરુ થશે રજિસ્ટ્રેશન 

અમરનાથ યાત્રા માટે 1 એપ્રિલ 2021થી રજિસ્ટ્રેશન શરુ થવાના છે. યાત્રીઓએ બંને માર્ગ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ક્યાં થશે રજિસ્ટ્રેશન 

અમરનાથ યાત્રા માટે દેશની 446 બેંક બ્રાંચમાં રજિસ્ટ્રેશન થશે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ તરફથી ઓફિશિયલ જાણકારી અનુસાર દેશમાં 446 બેંક બ્રાંચના માધ્યમથી રજિસ્ટ્રેશન થશે. આ બેંકમાં પંજાબ નેશનલ બેંકની 316 જમ્મુ કશ્મીર બેંકની 90 અને યસ બેંકની 40 બ્રાંચ સામેલ છે.

કોણ કરાવી શકશે રજિસ્ટ્રેશન 

આ માટે દરેક વ્યક્તિ એપ્લાઇ કરી શકે છે. યાત્રા માટે હેલ્થ સર્ટિફિકેટ પણ જમા કરાવવાનું રહેશ. યાત્રા 2021 માટે 15 માર્ચ બાદનું હેલ્થ સર્ટિફિકેટ જ માન્ય રહેશે.રજિસ્ટ્રેશન કરાવવા માટે જે કોઇપણ નિયમોનું પાલન કરવાનું છે તેની જાણકારી વેબસાઇટ પર આપવામાં આવી છે. આપને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકોના તરફથી અધિકૃત ડોક્ટરો અથવા ચિકિત્સા સંસ્થાની તરફથી આપેલા મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવા પડશે.

કોને નહી હોય પરવાનગી 

13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુ આયુના લોકો અને 6 અઠવાડિયાથી વધારે ગર્ભવતી મહિલાઓ રજિસ્ટ્રેશન નહી કરાવી શકે. આ વર્ષે યાત્રા માટે કોવિડ-19 માપદંડો અનુસાર આ લોકો રજિસ્ટ્રેશન નહી કરાવી શકે.

આ વખતે શું હશે અલગ 

યાત્રા માટે દરેક દિવસે રસ્તાઓની મંજૂરી અલગ અલગ હશે. સાથે જ વધારે શિબિરોની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે શિબિરોની સંખ્યા 2000થી 5000 સુધી વધારવામાં આવી શકે છે. સાથે જ વીજળી ,પીવાનું પાણી , પરિવહન , સુરક્ષા , બેરિકેડિંગ , મોબાઇલ ટોયલેટ , ક્લોક રુમ અને સામુદાયિક રસોઇઘરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">