Tips : તુલસીના આ ફેસપેક ચહેરા પર કરશે જાદુઈ અસર
Tips : તુલસીને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે. જેને સ્કિન કેર માટે ઓન ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં તુલસી જડીબુટ્ટી છે જે એન્ટી એજિંગનું પણ કામ કરે છે.
Tips : તુલસીને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે. જેને સ્કિન કેર માટે ઓન ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં તુલસી જડીબુટ્ટી છે જે એન્ટી એજિંગનું પણ કામ કરે છે. તે તમારા ચહેરા પર જાદુઈ અસર કરે છે. તેમાં એન્ટી ઈંફ્લેમેટરી તત્વ છે. રોજના 3 કે 4 પાંદડા તુલસીના ખાવાથી પાચન માટે પણ સારું છે. ચહેરા પરના ખીલ, ડાઘ ધબ્બા, કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.
તુલસી ના બનાવેલા ફેસપેક ત્વચાને અંદરથી સાફ કરીને કાંતિવાન બને છે. ત્વચાના પ્રકારને અનુરૂપ આ ફેસપેક બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે. તમારી ત્વચાના પ્રકાર મુજબ ફેસપેક બનાવી લગાવો અને જુઓ તમારી ત્વચા કેવી કાંતિવાન બને છે.
ઓઈલી ત્વચા માટે તુલસી અને લીમડાના પાનનો પાવડર સરખા ભાગે લઈ થોડું મધ મેળવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો .તે પછી પંદર-વીસ મિનિટ વાત ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. આનાથી ત્વચાનું વધારાનું તેલ દૂર થઇ જવા સાથે ત્વચા કોમળ બનશે.
ડ્રાય ત્વચા માટે એક ચમચી તુલસીના પાનનો પાવડર, અડધી ચમચી દહીં અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી તેને ચહેરા અને ગરદન પર લગાવી તે સૂકાય એટલે ધોઈ નાંખો. તે પછી મોઈશ્ચરાઈઝર લગાવો. આ પેક લગાવવાથી ત્વચા કોમળ બને છે.
નોર્મલ ત્વચા માટે એક ચમચી તુલસીના પાનનો પાવડર, એક ચમચી સૂંઠનો પાવડર અને ગુલાબ જળ મિક્સ કરી ચહેરા પર લગાવીને સૂકાવા દો. તે પછી ચહેરો ધોઈ નાંખો. તેનાથી ત્વચાના ડાઘ દૂર થાય છે અને ત્વચા નિખરે છે.