બ્રેકઅપ પછી લોકો ઘણીવાર કરે છે આ ભૂલો, જેના કારણે પેચઅપનો રસ્તો થઈ જાય છે બંધ

બ્રેકઅપએ (breakup) સૌથી વધુ દુ:ખ આપતી ક્ષણ હોય છે. બ્રેકઅપ પછી પણ પેચઅપની તક હોય છે. પણ કેટલાક લોકો એવી હરકતો કરી બેસે છે કે તે પેચઅપની તક પણ ગુમાવી બેસે છે.

બ્રેકઅપ પછી લોકો ઘણીવાર કરે છે આ ભૂલો, જેના કારણે પેચઅપનો રસ્તો થઈ જાય છે બંધ
Relationship TipsImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 8:36 PM

રિલેશનશિપ એ ખુબ જ સુંદર ભાવનાઓથી બને છે. તેને જાળવી રાખવા માટે તેમાં પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓ ઉમેરવી જરુરી છે. બે વ્યક્તિ મળે છે એ આશા સાથે કે તેઓ પોતાનું આગળનું જીવન સાથે જીવશે, સુખ-દુખમાં સાથ આપશે અને એકબીજાની પ્રગતિમાં સાથ આપશે. કેટલાક લોકોના રિલેશનશિપ (Relationship) દિલથી હોય છે અને કેટલાક સ્વાર્થ માટે. આ બધા વચ્ચે કોઈને કોઈ કારણસર બ્રેકઅપ (breakup) પણ થતા હોય છે. આ બ્રેકઅપ પછી પણ પેચઅપની તક હોય છે પણ કેટલીક હરકતોને કારણે પણ તે શકય બનતુ નથી. ઈગો, ગુસ્સો વગેરે જેવી ભાવનાને કારણે રિલેશનશિપ તૂટે છે. જાણી લો બ્રેકઅપ બાદ કયા કામ ના કરવા જોઈએ.

બ્રેકઅપની અપડેટ સોશિયલ મીડિયા પર શેયર કરવી

કેટલાક લોકો સોશિયલ મીડિયા પાછળ એવા ગાંડા હોય છે કે તેમની બ્રેકઅપની અપડેટ પણ તેઓ સોશિયલ મીડિયા પર શેયર કરતા હોય છે. આ ભૂલ પેચઅપ થવાની શક્યતાને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે. આવું કરવાથી બચો.

તરત જ બીજી રિલેશનશિપમાં આવવુ

ઘણી વખત લોકો બ્રેકઅપ પછી તરત જ કોઈ બીજા સાથે રિલેશનશિપમાં આવી જાય છે. આ એક પ્રકારની ભૂલ છે, જે તમારા જૂના પાર્ટનર સાથે પેચઅપ ન થવાની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તમારું આ પગલું તમારા જૂના પાર્ટનરને માનસિક રીતે હેરાન કરે છે, તે તેમને દુ:ખ પહોંચાડી શકે છે અને તેના કારણે પેચઅપની તક સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. બ્રેકઅપ પછી તમારી જાતને થોડો સમય આપો, કદાચ તમે તમારા જૂના પાર્ટનર સાથે ફરી જોડાઈ શકો.

આ પણ વાંચો

વારંવાર કૉલ કરવો

બ્રેકઅપ પછી પણ મોટાભાગના લોકો તેમના જૂના પાર્ટનર સાથે વારંવાર જોડાવા પ્રયાસ કરે છે. બની શકે છે કે તમારો આ પ્રયાસ સફળ થાય, પરંતુ આ એક પ્રકારની ભૂલ પણ સાબિત થઈ શકે છે. વારંવાર કોલ અથવા મેસેજથી તમારી સામેની વ્યક્તિ ચિડાઈ શકે છે. બની શકે છે કે આ પદ્ધતિ તમારા બંને વચ્ચે ચર્ચામાં વધારો કરશે. બ્રેકઅપ પછી એકબીજાને પર્સનલ સ્પેસ આપવી ખૂબ જ જરૂરી છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">