Ganesh Chaturthi Special Recipe : ગણેશ ચતુર્થી પર બાપાને ધરાવો રવા-નાળિયેરના લાડુનો ભોગ
Ganesh Chaturthi 2021: ગણેશ ચતુર્થી આજે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બપોરે ગણપતિનો જન્મ થયો હતો. ગણેશજીની જન્મજયંતિ નિમિત્તે આ તહેવાર દેશના તમામ ભાગોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
Ganesh Chaturthi Special Recipe : વિધ્નહર્તા અને મંગલકર્તા ગજાનન ગણપતિની જન્મજયંતિ આ વર્ષે 10 સપ્ટેમ્બરને શુક્રવારે છે. આ દરમિયાન, ગણપતિ (Ganapati)ના તમામ ભક્તો (Devotees)તેમને ધામધૂમથી તેમના ઘરે લાવશે અને તેમની સેવા અને પૂજા અર્પણ કરશે. આ પછી, તેઓ 5 માં, 7 માં, 9 માં અથવા 10 માં દિવસે વિસર્જન કરે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ગણપતિ (Ganapati)ઘરમાં આવે છે અને ત્યાંના તમામ દુ:ખ દૂર કરે છે.
જો તમે પણ વિનાયકને તમારા ઘરમાં લાવવા માટે તૈયારીઓ કરી રહ્યા છો, તો તેના મનપસંદ ભોગનો વિચાર મનમાં આવ્યો હશે. મોદક (Modak)અને લાડુ ગણપતિને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં, અમે તમને રવા-નાળિયેરના લાડુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ લાડુ મહારાષ્ટ્ર (Maharashtra)માં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં જાણો આ લાડુની રેસિપી (Recipe)જેથી તમે પણ ગણેશ ચતુર્થી પર ગણપતિને પ્રસન્ન કરી શકો.
સામગ્રી: 400 ગ્રામ રવા એટલે કે સોજી, 200 ગ્રામ નાળિયેર પાવડર, 1/2 કપ કિસમિસ, કાજુ અને ચિરોંજી, જરૂર મુજબ ગરમ દૂધ, 200 ગ્રામ ઘી.
સૌ પ્રથમ કડાઈમાં ઘી નાંખો અને ડ્રાય ફ્રુટ્સ (Dry fruits)ને તળી લો. તેનાથી માવો ઝડપથી બગડશે નહીં. આ પછી, એક પેનમાં બધુ ઘી નાંખો અને તેમાં સોજી નાખો અને તેને ધીમી આંચ પર શેકી લો. જ્યારે શેકવાની સુગંધ આવવા માંડે, ત્યારે ગેસ બંધ કરો અને એક પ્લેટમાં સોજી કાઢી લો. ધ્યાનમાં રાખો કે, રવો માત્ર ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો રંગ બદલાતો નથી.
હવે તે જ તપેલીમાં નાળિયેર પાવડર (Coconut powder)નાખો, થોડો થોડો નાળિયેર પાવડર અલગ રાખી લો બાકી રહેલો પાવડર શેકીલો કારણ કે નાળિયેર ખૂબ જ ઝડપથી બગડી જવાની શક્યતા છે. હવે બધી વસ્તુઓ મિક્સ કરો. .
આ પછી, થોડું દૂધ (Milk)ઉમેરીને, આ મિશ્રણને એવું બનાવો કે જ્યારે તે મુઠ્ઠીમાં આવે ત્યારે લાડું બની જાય ધ્યાનમાં રાખો કે તે ન તો ખૂબ સખત અને ન તો ખૂબ નરમ હોવું જોઈએ, નહીં તો તે લાડુનો આકાર આવશે નહિ.
હવે લીંબુના કદના ગોળ લાડુ બનાવો. જ્યારે બધા લાડુ બની જાય, તો તેને બાકીના નાળિયેર પાવડરમાં લપેટી લો. તૈયાર છે રવા-નાળિયેરના લાડુ. હવે ગણપતિને આ લાડુ અર્પણ કરો અને પૂજા પછી તેને પ્રસાદ તરીકે દરેકને વહેંચો.
આ પણ વાંચો : Be Alert : વજન ઝડપથી ઘટી રહ્યું છે તો સાવચેત થજો, આ ગંભીર રોગો હોઈ શકે છે
આ પણ વાંચો : PM modi ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા, વડાપ્રધાને ભેટ તરીકે આ ખાસ વસ્તુ મળી