Lifestyle : ચોમાસાની સીઝનમાં ચહેરાની સંભાળ રાખતી વખતે આ વસ્તુઓનું ખાસ રાખજો ધ્યાન
ચોમાસાની સીઝનમાં ચહેરાની કાળજી લેવી ખુબ જરૂરી છે. પણ જો તમે આ ભૂલ કરતા હોવ, તો ચહેરાની સુંદરતા બગડી પણ શકે છે.
Lifestyle : દરેક ઋતુમાં, ત્વચા તેની સંભાળ માંગી લે છે. વરસાદની ઋતુમાં ઘણા લોકોના ચહેરા પર ખીલ થાય છે. આ સિવાય કેટલાક લોકોની ત્વચા ડ્રાય બની જાય છે. આ સાથે ધૂળ, માટી, પ્રદૂષણ અને ગંદકી પણ ત્વચા પર ખરાબ અસર કરે છે. વરસાદી સીઝનમાં મોટાભાગે લોકો ખીલની સમસ્યાથી પરેશાન થાય છે. અને એટલા માટે જ તમારે વરસાદની ઋતુમાં ચહેરાની સંભાળ રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણી વાર લોકો પાસે યોગ્ય માહિતીના અભાવે લોકો ઘણી ભૂલ કરે છે. જે ચહેરા પર પિમ્પલ્સનું જોખમ વધારે છે.આવો જાણીએ એવી પાંચ ભૂલો જે દરેક વ્યક્તિ જાણતા અજાણતામાં કરે છે પણ ચહેરા પર તેની ખરાબ અસર પડે છે.
1. પાણી વધુ ને વધુ પીવું જોઈએ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જે લોકો ઓછું પાણી પીવે છે, તેમનો ચહેરો નિર્જીવ અને ડ્રાય દેખાઈ શકે છે. તેથી, દિવસ દરમિયાન 3 થી 4 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ચહેરાનો રંગ સુધરે છે.
2. સાબુથી ચહેરો ન ધોવો જોઈએ સાબુ ત્વચાને ખંજવાળ આપી શકે છે. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ ચહેરો ધોવા માટે ન કરવો જોઇએ. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે સામાન્ય સાબુમાં 9 થી 11 ની વચ્ચે પીએચ લેવલ હોય છે, જે ત્વચાનું પીએચ લેવલ 5 થી 7 ની વચ્ચે વધારે છે. આ ત્વચાને ઘણી સમસ્યાઓનું જોખમ વધારે છે.
3. એક જ પ્રોડક્ટનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરો આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો એક જ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જે પિમ્પલ્સ સામે લડવામાં મદદરૂપ થાય છે, પરંતુ વધતી ઉંમર સાથે, ત્વચાનું પોત પણ બદલાય છે, આવી સ્થિતિમાં ત્વચા માટે વધુ કાળજી લેવી જોઈએ. તેથી જ ત્વચાના પ્રકારને અનુરૂપ ઉત્પાદનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.
4. વારંવાર મોબાઈલને સ્પર્શ ન કરો તમારા ફોનની સ્ક્રીન બેક્ટેરિયાનું ઘર છે, તેના સતત ઉપયોગને કારણે ચહેરા પર તેની અસર દેખાવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે મોબાઈલની સ્ક્રીનમાં ગંદકી પણ હોય છે, તેથી તેને વારંવાર સાફ કરવી જોઈએ.
5. ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો ઘણા લોકોને ચહેરાને વારંવાર સ્પર્શ કરવાની આદત હોય છે. કેટલાક લોકો તેમના ગંદા હાથથી ચહેરાને વારંવાર સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે અથવા પિમ્પલ્સ તોડવાનો પ્રયાસ કરે છે. હાથથી ચહેરાને વધુ સ્પર્શ કરવાથી ત્વચા પર વધુ તેલ, જંતુઓ અને ગંદકી ફેલાય છે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો :