ઘરેલુ નુસખા: જો તમે પણ પીળા દાંતથી છૂટકારો મેળવવા માંગો છો, તો આજે જ અપનાવો આ સરળ ઉપાયો
જો તમે પણ પીળા દાંતથી છૂટકારો મેળવવા માગો છો, તો આજે તમને ઘરેલું ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે દાંતની પીળાશથી છુટકારો મેળવી શકો છો.
ચહેરા પર એક સુંદર સ્મિત કોઈપણને પ્રભાવિત કરવા માટે પૂરતું છે. ચમકતા દાંત તમાર] સ્મિતને સુંદર બનાવવા માટેનું કામ કરે છે પરંતુ જો તમારા દાંત પીળા છે તો તે તમારા ઈમેજ બગાડે છે. દાંત પીળા થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે.
ઘણી વાર દાંત સાફ કર્યા પછી પણ, દાંત પીળા થઇ જાય છે. આ સિવાય, દાંત પીળા થવાનું કારણ પ્લેકનું જામી જવું, દાંત યોગ્ય રીતે સાફ ન કરવા હોય છે. જો તમે પણ પીળા દાંતથી છૂટકારો મેળવવા માગો છો, તો અમે તમને ઘરેલું ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે દાંતની પીળાશથી છુટકારો મેળવી શકો છો.
તેલ લગાવવું
દાંત પર તેલ લગાવવું એ એક જૂનો ઉપાય છે. આને કારણે, તમારા મોંમાં બેક્ટેરિયા વધતા નથી. તે શરીરમાંથી ઝેર દૂર કરવા માટે પણ કામ કરે છે. તમારા દાંત પર સૂર્યમુખી અને શીશમનું તેલ લગાવો. આ સિવાય નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકાય છે. તે લૌરિક એસિડથી ભરપુર છે જે બળતરા ઘટાડવા અને બેક્ટેરિયાને નાશ કરવાનું કામ કરે છે.
બેકિંગ સોડા સાથે બ્રશ
બેકિંગ સોડા કુદરતી રીતે દાંત સાફ કરવાનું કામ કરે છે. ટૂથપેસ્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ક્ષારયુક્ત પ્રકૃતિનું છે, જેના કારણે બેક્ટેરિયા વધતા નથી. તેમ છતાં સાયન્સમાં એના કોઈ પુરાવા નથી કે ખાવાના સોડાથી દાંત સફેદ થાય છે. પરંતુ અધ્યયનમાં એ વાત સામે આવી છે કે ટૂથપેસ્ટમાં બેકિંગ સોડાને મિક્સ કરવાથી દાંત ચળકતા અને સફેદ થાય છે. આ માટે, તમારે બે ચમચી પાણી સાથે એક ચમચી બેકિંગ સોડાને મિશ્ર કરવો પડશે અને બ્રશથી દાંત ઘસવા પડશે. સારા પરિણામ માટે અઠવાડિયામાં 2 થી 3 દિવસ આ રેસીપીને અનુસરી શકો છો.
આહારમાં પુષ્કળ કેલ્શિયમ લો
શરીરમાં કેલ્શિયમનો અભાવ ઘણા રોગોનું કારણ બની શકે છે. એટલા માટે તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લો. ઘણા લોકોમાં કેલ્શિયમની અછતને કારણે દાંત પીળા થવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લેવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
હાઇડ્રોજન પેરોક્સાઇડ
હાઇડ્રોજન પેરોક્સાઇડ એ કુદરતી બ્લીચિંગ એજન્ટ છે જે બેક્ટેરિયાને મારી નાખે છે અને ઘાને મટાડવામાં મદદ કરે છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ટૂથપેસ્ટમાં જે બેકિંગ સોડા અને એક ટકા હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે તે દાંત ગોરા બનાવી શકે છે. ધ્યાનમાં રાખો કે હંમેશાં ડાઈલ્યૂટ હાઇડ્રોજન પેરોક્સાઇડ વાપરવું જોઈએ. નહિંતર, તમારા દાંતના પેઢામાં બળતરા થઈ શકે છે.
આ પણ વાંચો: Ayurveda: આ 5 આયુર્વેદિક ઉપચાર તમારી ભૂલવાની બીમારીને ભુલાવી દેશે, યાદશક્તિ વધારવા આજે જ અજમાવો
આ પણ વાંચો: ઉપવાસમાં કેમ ખાવામાં આવે છે સિંધવ મીઠું? શું છે કારણ? સિંધવ મીઠાથી ફાયદો કે નુકસાન?
(નોંઘ: આ લેખ પ્રાથમિક માહિતીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહી સૂચવેલા કોઈ પણ પ્રયોગ-ઉપાયને અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી)