Beauty Tips: ચોમાસામાં ઓઈલી સ્કિનની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવશો ?

વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે જે તમારી સ્કિન અને વાળને લઈને સૌથી મોટી પરેશાની ઉભી કરે છે.

Beauty Tips: ચોમાસામાં ઓઈલી સ્કિનની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવશો ?
ચોમાસાની સીઝનમાં સૌથી વધારે મુશ્કેલી પડે છે ઓઈલી સ્કિન ધરાવતા લોકોને
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 24, 2021 | 12:09 PM

Beauty Tips: સામાન્ય રીતે દરેક સીઝન કરતા ચોમાસાની(Monsoon) સીઝનમાં વાળ અને સ્કિનની (Hair and Skin) કાળજી રાખવી ખુબ જરૂરી બની જાય છે. આ સીઝનમાં ભલે સૂર્યપ્રકાશ ઓછો હોય પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે જે તમારી સ્કિન અને વાળને લઈને સૌથી મોટી પરેશાની ઉભી કરે છે.

ઓઈલી સ્કિનવાળા લોકો વરસાદની ઋતુમાં સૌથી વધુ હેરાન થાય છે, કારણ કે આ સિઝનમાં ભેજ ત્વચા સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી કરે છે. જો કે કેટલાક ઘરેલું ઉપાયો છે, જેને અજમાવવામાં આવે તો આ સમસ્યાઓથી બચી શકાય છે.

અમે તમને બતાવીશું કે ઘરમાં સામાન્ય રીતે મળી જતી વસ્તુઓમાંથી તમે કેવી રીતે ચોમાસમાં ઓઈલી સ્કિનની (Oily Skin) સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ચણાનો લોટ અને લીંબુ

એક આખા લીંબુનો રસ લો. તેમાં બે ચમચી ચણાનો લોટ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આને કારણે ચહેરા પર તેલની સમસ્યા નહીં રહે અને ભેજને કારણે ચહેરો ચીકણો નહીં થાય.

નવશેકું પાણીથી ચહેરાને ધોઈ લો

જો તમે તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોશો , તો ત્વચાના છિદ્રોમાં એકઠા થતી ગંદકી સાથે તેલ પણ દૂર થઈ જશે. આને કારણે ત્વચામાં લોહી અને ઓક્સિજનનો સારો પુરવઠો મળશે, જે પિમ્પલ્સની સમસ્યાથી બચાવે છે.

કાકડી

કાકડીઓ ગોળાકારમાં પાતળા કાપી નાંખો. રાત્રે અને બપોરે ચહેરો ધોયા પછી તેમને ચહેરા પર રાખો. અડધા કલાક પછી ચહેરાને પાણીથી ધોઈ લો. કાકડી ચહેરા પરથી તેલ કાઢી નાખશે સાથે સાથે તેને ઠંડુ કરશે, જેથી ફોલ્લીઓ કે ખંજવાળની ​​સમસ્યા ન થાય.

મુલતાની માટી અને ગુલાબજળ

એક ચમચી મુલતાની માટીને બે ચમચી ગુલાબજળ સાથે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર અડધો કલાક લગાવો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો. આનાથી ચહેરા પર એકઠી થતી ગંદકી સાફ થઈ જશે, સાથે જ પિમ્પલ્સ, ખીલ, ઘાટા ડાઘ, શુષ્કતા વગેરેની સમસ્યા પણ દૂર થઈ જશે.

મધ અને ખાંડ

મધ અને ખાંડનું મિશ્રણ તૈયાર કરો અને તેની સાથે ચહેરો સ્ક્રબ કરો. સ્ક્રબિંગની આ પદ્ધતિ ત્વચાને ઊંડાણથી સાફ કરશે, જે ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર રાખવા માટે જરૂરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">