CAA વિરોધ : CMએ કહ્યું કે નુકસાનની ભરપાઈ ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત કરીને કરીશું
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ભારે પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શન દરમિયાન પ્રાપ્ત થયેલાં અહેવાલ મુજબ અંદાજે 37 વાહનોને સળગાવી દેવાયા છે. જેમાં 4 મીડિયાની ઓબી વાન પણ સામેલ છે. આ હિંસાત્મક આંદોલનને લઈને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ભારે પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શન દરમિયાન પ્રાપ્ત થયેલાં અહેવાલ મુજબ અંદાજે 37 વાહનોને સળગાવી દેવાયા છે. જેમાં 4 મીડિયાની ઓબી વાન પણ સામેલ છે. આ હિંસાત્મક આંદોલનને લઈને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં વિરોધ થયો શાંત, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શરુ કરી ફ્લેગમાર્ચ
યોગી આદિત્યનાથે કહ્યું કે લખનઉમાં ઓબી વેન, રોડવેઝની બસ અને વાહનોમાં આગ લગાવવામાં આવી છે. વિરોધ કરીને પરકત ફરી રહેલાં તત્ત્વોએ વાહનોમાં તોડફોડ કરી છે. જ્યાં પણ સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે ત્યાં સરકાર કડક કાર્યવાહી કરશે. આ સિવાય અમે ઉપદ્ધવીઓની સંપત્તિની હરાજી કરીને વસૂલી કરીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષી દળો પાસે હવે કોઈ મુદો જ વધ્યો નથી. આવામાં તેઓ નાગરિકતા કાયદાને લઈને દેશના વિવિધ ભાગોમાં લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાની કોશિશ કરે છે. લખનઉમાં હિંસાને લઈને ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક પણ કરી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]