વારાણસીના આંટા-ફેરા કેમ કરી રહ્યો છે હાર્દિક પટેલ ? શું ઇરાદો છે હાર્દિકનો ? PM મોદીને પડકારવાની તૈયારીમાં છે આ પાટીદાર નેતા ?

ગુજરાતનો પાટીદાર નેતા હાર્દિક પટેલ શું લોકસભા ચૂંટણી 2019માં ઝુકાવાનો છે ? અને જો હા, તો શું તે કોઈ હૉટ સીટને પસંદ કરશે ? આ હૉટ સીટ કઈ હશે ? સવાલો અનેક છે, પણ હાર્દિક પટેલ હજી કંઈ ફોડ પાડવા તૈયાર નથી. જોકે હાર્દિક પટેલ વારાણસીના આંટા ફેરા મારી રહ્યો છે અને તેનાથી સહેજે અંદાજ […]

વારાણસીના આંટા-ફેરા કેમ કરી રહ્યો છે હાર્દિક પટેલ ? શું ઇરાદો છે હાર્દિકનો ? PM મોદીને પડકારવાની તૈયારીમાં છે આ પાટીદાર નેતા ?
Follow Us:
| Updated on: Jan 13, 2019 | 8:17 AM

ગુજરાતનો પાટીદાર નેતા હાર્દિક પટેલ શું લોકસભા ચૂંટણી 2019માં ઝુકાવાનો છે ? અને જો હા, તો શું તે કોઈ હૉટ સીટને પસંદ કરશે ? આ હૉટ સીટ કઈ હશે ?

સવાલો અનેક છે, પણ હાર્દિક પટેલ હજી કંઈ ફોડ પાડવા તૈયાર નથી. જોકે હાર્દિક પટેલ વારાણસીના આંટા ફેરા મારી રહ્યો છે અને તેનાથી સહેજે અંદાજ લગાવી શકાય કે કદાચ હાર્દિક પટેલ પીએમ મોદીને પડકારવાની તૈયારી કરી રહ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિકના વારાણસી પ્રવાસોના કારણે ચર્ચાઓ અને અટકળોને વેગ મળી રહ્યો છે કે તે આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશના વારાણસીથી અપક્ષ તરીકે લડી શકે છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વારાણસીના સાંસદ છે અને શક્યતા છે કે મોદી ફરીથી વારાણસીથી જ ચૂંટણી લડવાના છે.

આ બાજુ હાર્દિક પટેલને જુલાઈ-2018માં 25 વર્ષ પૂરા થઈ જતાં હવે તે ચૂંટણી લડવાને પાત્ર બની ગયો છે.

આ પણ વાંચો : મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી છવાઈ જનાર ગુજરાતી એક્ટર છે 3 વર્ષથી લાપતા, નથી ઘરનાઓને જાણ કે નથી પોલીસને કોઈ ખબર

દરમિયાન હાર્દિક પટેલ ગત શુક્રવારે જ વારાણસીની મુલાકાતે પહોંચ્યો હતો. એક મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે સ્પષ્ટ કર્યું કે વારાણસીથી ચૂંટણી લડવા અંગે હજી સુધી તેણે કોઈ નિર્ણય લીધો નથી. હાર્દિક પટેલે કહ્યું,

‘મેં ચૂંટણી લડવા અંગે કોઈી નિર્ણય લીધો નથી. મારું ધ્યાન અત્યારે માત્ર મારા સમાજના હક માટે લડવા પર છે. જો મારો સમાજ મને ચૂંટણી લડવા કહેશે, તો હું તેના પર વિચાર કરીશ. વારાણસીમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી. દેશની જનતામાં વડાપ્રધાન પ્રત્યે રોષ છે. લોકો પોતે લૂંટાયા હોવાનું અનુભવી રહ્યાં છે. એટલા માટે સત્તા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.’

હાર્દિક પટેલના નજીકના લોકોનું કહેવું છે કે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ હાર્દિક પટેલના સંપર્કમાં છે. હાર્દિક પટેલે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશનો પ્રવાસ કર્યો હતો. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી કે હાર્દિક પટેલ વારાણસીથી ચૂંટણી લડશે કે નહીં અને જો લડશે, તો કોઈ પક્ષ કે કોઈ ગઠબંધનના ઉમેદવાર તરીકે કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે.

આ પણ વાંચો : 14 જાન્યુઆરીએ નથી ઉત્તરાયણ : તમારા દાદાએ જોયો હોય તેવા દુર્લભ મહાસંયોગના તમે બનશો સાક્ષી, પણ આ એક મહિનાનો મહાસંયોગ તમને ફળશે કે નડશે ? જાણવા માટે CLICK કરો

હાર્દિક પટેલના સહયોગીઓના કહેવા પ્રમાણે હાલ તો હાર્દિક પટેલે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જોકે વિપક્ષી પાર્ટીઓના સમર્થન બાદ તે આ અંગે કોઈ જાહેરાત કરી શકે છે. શક્યતા એવી પણ છે કે જો હાર્દિક પટેલ વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડે, તો અન્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર મેદાનમાં નહીં ઉતારે.

[yop_poll id=586]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">