PM મોદી પર બનેલી ફિલ્મ લોકો કેમ જુએ, તેમણે દેશ માટે શું યોગદાન આપ્યું? : મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં CM મમતા બેનર્જીએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું કે, લોકો શા માટે મોદી પર બનેલી ફિલ્મ જુએ ? જો લોકોને ફિલ્મ જોવી હોય તો ગાંધીજી, આંબેડકર પર બનેલી ફિલ્મ જોશે, આખરે મોદીએ દેશ માટે શું યોગદાન આપ્યું છે? TV9 Gujarati મહત્વનું છે કે PM મોદી પર બાયોપીક બનવાની શરૂઆત થતાની સાથે […]
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં CM મમતા બેનર્જીએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું કે, લોકો શા માટે મોદી પર બનેલી ફિલ્મ જુએ ? જો લોકોને ફિલ્મ જોવી હોય તો ગાંધીજી, આંબેડકર પર બનેલી ફિલ્મ જોશે, આખરે મોદીએ દેશ માટે શું યોગદાન આપ્યું છે?
મહત્વનું છે કે PM મોદી પર બાયોપીક બનવાની શરૂઆત થતાની સાથે જ વિવાદનો મધપુળો છેડાયો હતો. ઉપરાંત ફિલ્મના રિલીઝની તારીખને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો. તેવામાં મમતા બેનર્જીએ ન માત્ર મોદી પર બનેલી ફિલ્મ પરંતુ નરેન્દ્ર મોદીએ દેશ માટે કોઈ યોગદાન ન આપ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ફિલ્મને લઈને વિવાદ સતત સર્જાતો રહ્યો છે. હાલમાં પણ 5 તારીખના રોજ ચૂંટણીના સમયે તે રિલીઝ ન થાય તેવી માગણી કરવામાં આવી છે અને ચૂંટણી પંચે આ અંગે ફિલ્મ નિર્માતાઓને નોટિસ પણ ફટકારી છે. ફિલ્મમાં વિવેક ઓબરોયે પણ કોંગ્રેસની ફિરકી લીધી હતી અને કહ્યું કે ચોકીદારના ડંડાથી બધા ડરી રહ્યાં છે. આમ આ ફિલ્મને લઈને વિવાદ સતત ચાલુ છે ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળતામાં ઘી હોમ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]