નીલકંઠ વર્ણી અંગેના વિવાદ બાદ પ્રથમ વખત મોરારી બાપુનું નિવેદન, ભીખમાં મળે તેને માફી ન કહેવાય
મોરારિ બાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં ધર્મ યુદ્ધ ફાટી નીકળ્યું છે. મોરારિ બાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ખુદ મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભીખમાં મળે તેને માફી ન કહેવાય, હું વિવાદમાં નહીં સંવાદમાં માનું છું. મારે કોઇને પાસે ક્ષમા […]
મોરારિ બાપુએ નીલકંઠવર્ણી અંગે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતના ધર્મ જગતમાં ધર્મ યુદ્ધ ફાટી નીકળ્યું છે. મોરારિ બાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ખુદ મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભીખમાં મળે તેને માફી ન કહેવાય, હું વિવાદમાં નહીં સંવાદમાં માનું છું. મારે કોઇને પાસે ક્ષમા માગવી નથી. મારે ક્ષમાની જરૂર નથી. તેમણે એમપણ કહ્યું કે, માફી માગવી હોય તો સનાતન ધર્મની માગો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ ટ્રાફિક વ્હિકલ એક્ટના નવો નિયમનું 16 સપ્ટેમ્બરથી લાગુ થયા પહેલા હેલમેટની દુકાને લાઈન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે મોરારિ બાપુએ એક કથામાં નીલકંઠવર્ણીને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ વંટોળ શરૂ થઈ ગયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ આ નિવેદનને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો. અને મોરારિ બાપુ માફી માગે તેવી માગણી હતી. બીજી તરફ બાપુના સમર્થનમાં ગુજરાતના અનેક કલાકારો પણ સામે આવ્યા હતા.