પુલવામા આતંકી હુમલા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતાં ? જાણો કૉંગ્રેસના એક-એક આરોપનો જવાબ આપતી હકીકત
કૉંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પુલવામા આતંકી હુમલા સમયે મોજ-મસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હકીકત શું છે ? TV9 Gujarati Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ […]
કૉંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પુલવામા આતંકી હુમલા સમયે મોજ-મસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હકીકત શું છે ?
એક સરકારી અધિકારીનું કહેવું છે કે પુલવામા આતંકી હુમલાની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 25 મિનિટ વિલંબથી મળી હતી અને તેના માટે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, મોદીએ આ હુમલા બાદ પોતાની રેલી પણ રદ કરી દીધી હતી.
સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ‘જે સમયે પુલવામા આતંકી હુમલાના સમાચાર આવ્યા, તે સમયે તેઓ (પીએમ) સાંજે લગભગ 4 વાગ્યે કૉર્બેટથી રુદ્રપુર જવાના માર્ગે હતા. આ ઘટનાની માહિતી તેમને 25 મિનિટ પછી મળી કે જેનાથી તેઓ નારાજ થયા હતાં. તેમણે એનએસએ અજિત ડોવાલ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. સાંજે 4 વાગ્યાથી 4.45 વાગ્યા સુધી મોદીએ પરિસ્થિતિની સમીક્ષા માટે અનેક બેઠકો કરી.’ ડોવાલે સલામતી એજન્સીઓ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે કે વડાપ્રધાનને માહિતી આપવામાં મોડું કેમ થયું ?
અધિકારીએ જણાવ્યું કે ત્યાર બાદ મોદીએ એનએસએ, ગ-હ મંત્રી અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથે વાત કરી.
અધિકારીએ જણાવ્યું કે ત્યાર બાદ પણ પીએમ મોદી સંપૂર્ણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતાં. એટલા માટે જ તેમણે રુદ્રપુરની રેલીમાં જવા માટે મોડુ થઈ રહ્યુ હતું. ત્યાર બાદ રેલીમાં ભારે ભીડ હોવા છતાં પીએમ નરેન્દ્ર મોદીએ રેલીમાં ન જવાનો નિર્ણય કર્યો અને રેલીમાં જવાનો કાર્યક્રમ રદ કર્યો. અધિકારીએ જણાવ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાર બાદ 5.15 વાગ્યે ફોનના માધ્યમથી રેલીને સંબોધિત કરી અને 5-7 મિનિટમાં જ પોતાની વાત આટોપી લીધી.’
ત્યાર બાદ મોદી સડક માર્ગથી બરેલી માટે નિકળ્યા કે જ્યાંથી તેમણે સીધી દિલ્હીની ફ્લાઇટ પકડી. સરકારી અધિકારીએ જણાવ્યું, ‘લગભગ એક કલાક બાદ પરિસ્થિતિની ફરીથી સમીક્ષા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેથી પીએમ રામનગરના રેસ્ટ હાઉસમાં રોકાયા અને પુલવામામાં સ્થિતિની માહિતી મેળવી તથા જરૂરી નિર્દેશો આપ્યા. બીજી રિવ્યૂ મીટિંગ પીએમ બરેલી માટે રવાના થયા અને દિલ્હીની ફ્લાઇટ પકડી રાત્રે જ દિલ્હી પહોંચી ગયાં.’
નોંધનીય છે કે કૉંગ્રેસે ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે મોદી પુલવામા આતંકી હુમલાના દિવસે ઉત્તરાખંડમાં મોજ-મસ્તી, ચા-નાશ્તો અને સૈર-સપાટો કરી રહ્યા હતાં.
[yop_poll id=1680]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]