વેસ્ટઇન્ડીઝની ઇનીંગમાં 9 વિકેટ ખેરવનાર ભારતીય દિગ્ગજે કેમ દેશ છોડી દીધો? કયા આરોપને લઈને થઈ ગયા વિદેશમાં ઠરીઠામ વાંચો આ રસપ્રદ વાત

વાત છે 1961 ના વર્ષની, જ્યારે ટીમ ઇંગ્લેંડ ભારત પ્રવાસ પર આવી હતી. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે ટેસ્ટ રમવાની બાકી હતી.  30 ડિસેમ્બરે ચોથી ટેસ્ટ શરુ થનારી હતી.  બે દિવસ પહેલા જ ટીમમાંથી કૃપાલ સિંહ અને સુભાષ ગુપ્તેને ટીમની બહાર કરાયા.  ઇરાપલ્લી પ્રસન્નાને સામેલ કરાયો હતો.  ના કોઇ ઇજા અને છતાં પણ બહાર રાખવાનુ […]

વેસ્ટઇન્ડીઝની ઇનીંગમાં 9 વિકેટ ખેરવનાર ભારતીય દિગ્ગજે કેમ દેશ છોડી દીધો? કયા આરોપને લઈને થઈ ગયા વિદેશમાં ઠરીઠામ વાંચો આ રસપ્રદ વાત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 13, 2020 | 9:07 AM

વાત છે 1961 ના વર્ષની, જ્યારે ટીમ ઇંગ્લેંડ ભારત પ્રવાસ પર આવી હતી. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે ટેસ્ટ રમવાની બાકી હતી.  30 ડિસેમ્બરે ચોથી ટેસ્ટ શરુ થનારી હતી.  બે દિવસ પહેલા જ ટીમમાંથી કૃપાલ સિંહ અને સુભાષ ગુપ્તેને ટીમની બહાર કરાયા.  ઇરાપલ્લી પ્રસન્નાને સામેલ કરાયો હતો.  ના કોઇ ઇજા અને છતાં પણ બહાર રાખવાનુ કારણ પણ સૌને ચોંકાવી રહ્યુ હતુ. કારણ કે કલકત્તામાં રમાનારી ચોથી ટેસ્ટમાં, ગુપ્તેની લેગસ્પિન બોલીંગ મોટુ ફેકટર બનનારી હતી.

સુભાષ ગુપ્તેને એવા સમયે હટાવાયા હતા કે જ્યારે તે શ્રેષ્ઠ બોલીંગ કાળ પસાર કરી રહ્યો હતો. તે સમયે નરીન કોન્ટ્રાકટર કેપ્ટન હતા. તેમને વારંવારની પૃચ્છા કરતા જાણકારી સામે આવી કે અનુશાસન સંબંધીત કારણ થી હકાલપટ્ટી કરાઇ છે. જેની સુનાવણી પણ જેતે ઘટનાને લઇને થનારી છે. કેટલાક સમય પછી ભેદ બહાર આવ્યો હતો કે, સુભાષ ગુપ્તે અને કૃપાલ સિંહ એક જ રુમમાં હોટલમાં રોકાયેલા હતા. જે હોટલમાં ટીમ ઇન્ડીયા રોકાઇ હતી તેની રિસેપ્શનિસ્ટે ઇન્ડીયન ટીમના મેનેજરને ફરીયાદ કરી હતી. બંને જે રુમમાં રોકાયા હતા તેમાંથી ફોન કોલ કરીને રિસેપ્શનિસ્ટને પુછવામાં આવ્યુ હતુ કે, મારી સાથે ડ્રિંક્સ પર ચાલીશ ?

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

આ દરમ્યાન કૃપાલ સિંહ એરપોર્ટ માટે નિકળી ગયા હતા. સુભાષ ગુપ્તે પણ તેમની પાછળ ભાગતા પહોંચ્યા હતા અને તેમને કહ્યુ હતુ કે તમારો દોષ નથી. તે વેળા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મુથૈયા ચિદંબરમ હાજર હતા. તેમને પણ આ વિશે વાત કરી હતી. તેમણે પછી થી ફોન પર વાત કરવાનુ કહ્યુ હતુ. ઇંગ્લેંડની સીરીઝ પણ ખતમ થઇ ગઇ હતી. ગુપ્તેને ભારતીય ટીમમાંથી પડતા મુકી દેવાયા હતા. તેમને રજૂઆતની તક પણ મળી શકી નહી.

ત્યાર બાદ ચેન્નાઇમાં વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે પસંદગી સમિતીની બેઠક મળી હતી. તેમાં પણ ગુપ્તેને પસંદ કરવામાં ના આવ્યા.  તેમની ચર્ચા પણ થઇ હતી પરંતુ અગાઉ થી જાણે નક્કી હોય, તેમ ચર્ચાને અંતે પડતા જ મુકાયા હતા. 149 વિકેટ ઝડપનારા અને 29.55 ની એવરેજ ધરાવતા હતા ગુપ્તે. તેમણે વેસ્ટઇન્ડિઝ સામે એક જ ઇનીંગમાં 9 વિકેટ ઝડપી હતી. તે સમયે કોઇ ઘટનાનુ તથ્ય નહોતુ જાણતુ, તેમની ઇંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટ આખરી બની ગઇ હતી.

તેમને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા નહોતા. તે વેસ્ટઇન્ડીઝ ચાલ્યા ગયા હતા, જે હંમેશાને માટે જ જ્યા તેમની પત્નિ ત્રિનીદાદમાં રહેતી હતી. ગુપ્તે પણ મોટેભાગે ત્યાં જ રહેતા હતા. હવે તેમનુ કાયમી સરનામુ જ તે બની ગયુ હતુ. તે ત્યાંજ ડોમેસ્ટિક સર્કિટમાં એક્ટિવ થઇ ગયા હતા. ત્યાં જ ફ્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">