જાણીતા પાર્શ્વ ગાયક પદ્મભૂષણ એસ પી બાલાસુબ્રમણ્યમનુ કોરોનાથી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન
જાણીતા ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમનું આજે કોરોનાથી, ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયુ છે. કોરોનાથી સંક્રમીત થયા બાદ, એસ પી બાલાસુબ્રમણ્યમ છેલ્લા કેટલાક દિવસથી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. તેમની તબીયત લથડતા વેન્ટીલેટર ઉપર મુકવામાં આવ્યા હતા. જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. એસ પી બાલાસુબ્રમણ્યમે, 15 ભાષામાં 40 હજારથી વધુ ગીત ગાયા છે. બાલા સુબ્રમણ્યમને […]
જાણીતા ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમનું આજે કોરોનાથી, ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયુ છે. કોરોનાથી સંક્રમીત થયા બાદ, એસ પી બાલાસુબ્રમણ્યમ છેલ્લા કેટલાક દિવસથી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. તેમની તબીયત લથડતા વેન્ટીલેટર ઉપર મુકવામાં આવ્યા હતા. જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.
એસ પી બાલાસુબ્રમણ્યમે, 15 ભાષામાં 40 હજારથી વધુ ગીત ગાયા છે. બાલા સુબ્રમણ્યમને છ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. 2001માં પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું તો 2011માં એસ પી બાલાસુબ્રમણ્યમને પદ્મભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા. એસ પી બાલાસુબ્રમણ્યમના નિધનના સમાચાર જાણીને ફિલ્મ અને રાજકીય ક્ષેત્રના અનેક દિગ્ગજોએ સોશિયલ મીડિયા મારફતે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો