VIDEO: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, જળસપાટી 136.84 મીટર પર પહોંચી
દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાંથી છોડવામાં આવેલા 10 લાખ ક્યુસેક પાણીને પગલે, ડેમની સપાટી વધીને હવે 136.84 મીટર પર પહોંચી છે. ડેમના 23 દરવાજા હાલ 4.15 મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે અને ડેમમાંથી કુલ 8 લાખ 9 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું […]
દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાંથી છોડવામાં આવેલા 10 લાખ ક્યુસેક પાણીને પગલે, ડેમની સપાટી વધીને હવે 136.84 મીટર પર પહોંચી છે. ડેમના 23 દરવાજા હાલ 4.15 મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે અને ડેમમાંથી કુલ 8 લાખ 9 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત કેવડિયાના ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યહવાર બંધ કરાયો છે. ડેમમાં હાલ 5153 MCM લાઈવ પાણીનો સ્ટોરેજ જથ્થો ઉપલભ્ધ છે, તો ગરુડેશ્વરની નર્મદા નદીની જળસપાટી પણ 29.40 મીટર પર પહોંચી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO