સાબરકાંઠાઃ હાથમતી જળાશયમાં 86.14% પાણી ભરાયું, વધુ વરસાદ પડશે તો ઓવરફ્લો થવાની શક્યતા
સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલું હાથમતી જળાશય 86.14 ટકા ભરાઈ ગયું છે. જેને પગલે હાથમતિ કિનારાના હિંમતનગરના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જળાશયમાં 700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ઉપરવાસમાં જો વધુ વરસાદ વરસશે તો જળાશય ઓવરફ્લો થવાની શક્યતા છે. ફતેપુર, ખાપરેટા, મેડીટીંબા, નરોડા, માકડી, હમીરપુર, શણગાર, મોતીપુરા, કડોદરી, વાસણા, ચાંદરણી, ખેડ, […]
સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલું હાથમતી જળાશય 86.14 ટકા ભરાઈ ગયું છે. જેને પગલે હાથમતિ કિનારાના હિંમતનગરના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જળાશયમાં 700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ઉપરવાસમાં જો વધુ વરસાદ વરસશે તો જળાશય ઓવરફ્લો થવાની શક્યતા છે. ફતેપુર, ખાપરેટા, મેડીટીંબા, નરોડા, માકડી, હમીરપુર, શણગાર, મોતીપુરા, કડોદરી, વાસણા, ચાંદરણી, ખેડ, ચાપલાનાર, મોર ડુંગરા, આંબાવાડા, જાંબુડી, પરબડા, બલવંતપુરા, કુંપ, સુરપુર, ડેમાઈ, પ્રતાપપુરા, બલોચપુર, રાજપુર, કેસરપુર, અમરાપુર અને પૃથ્વીપુરા સહિતના ગામો અને હિંમતનગર શહેરને પણ સતર્ક કરાયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો