વિટામિન Eની ઉણપને આ પ્રકારે કરો દુર, વાંચો આ લેખ
વિટામીન એ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે. જે લીલા પાંદડાવાળા શાકભાજી, વેજીટેબલ ઓઈલ માર્જરીન અને નટ્સમાંથી મળે છે. જોકે રોજ ખાવામાં પૂરતા પ્રમાણમાં તે મળી જ રહે છે, તેથી માત્ર ખાવાની ઉણપને કારણે તેની ઉણપ થવાની શક્યતા ઓછી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં તેની ઉણપ શકે છે. આ રહ્યા વિટામીન ઈની ઉણપના કારણો: Web Stories View […]
વિટામીન એ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે. જે લીલા પાંદડાવાળા શાકભાજી, વેજીટેબલ ઓઈલ માર્જરીન અને નટ્સમાંથી મળે છે. જોકે રોજ ખાવામાં પૂરતા પ્રમાણમાં તે મળી જ રહે છે, તેથી માત્ર ખાવાની ઉણપને કારણે તેની ઉણપ થવાની શક્યતા ઓછી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં તેની ઉણપ શકે છે. આ રહ્યા વિટામીન ઈની ઉણપના કારણો:
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સમય પહેલાં બાળકનો જન્મ : જે બાળકનો જન્મ 36 અઠવાડિયા પહેલા થયો હોય તેમનામાં વિટામિન ઈની ઊણપ થઈ શકે છે.
ફેટ મેલઅબઝોર્પશન : વિટામિન ઈના પાચનમાં સમસ્યાને કારણે ઘણા વિકાર થઇ શકે છે. તેમજ સિસ્ટિક ફાઈબ્રોસિસ, શોર્ટ બેવલ સિન્ડ્રોમ જેવી જિનેટિક બીમારીઓનું કારણ બની શકે છે.
અલેક્સિયાની સાથે વિટામિન ડીની ઉણપ : આ એક બહુ દુર્લભ બિમારી છે, જેમાં જિનમાં મ્યુટેરિનને કારણે વિટામિન ઈ લીપરપ્રોટીન્સમાં જઈ શકતા નથી. તેના બાકી બધા વિટામિન સામાન્ય પ્રમાણમાં હોય છે. એક વર્ષથી ઓછી ઉંમરમાં તેના લક્ષણો દેખાતા નથી.
ન્યુરોલોજીકલ સમસ્યા : મોટાભાગે લક્ષણ એક વર્ષથી નાની ઉંમરમાં દેખાતા નથી. જો આનુવંશિક ડિસઓર્ડર હોય તો પણ તે દેખાતા નથી. ચાલવામાં સમસ્યા,આંધળાપણું વાંચવામાં મુશ્કેલી, યાદશક્તિ નબળી થવી વગેરે જેવી સમસ્યા થવા લાગે છે.
હૃદયના ધબકારામાં અનિયમિતતા: લોહીના પાતળા થવાને કારણે બ્લીડીંગની શક્યતા વધી જાય છે. એનિમિયા પણ થઈ શકે છે. નવજાત બાળકોમાં સોજો પણ જોવા મળે છે.
બચવાની રીત : પ્રિમેચ્યોર નવજાત બાળકોને પેશ્ચયુરાઈઝડ દૂધ આપવું જોઈએ. બ્રેસ્ટ મિલ્ક ફોર્ટફાઇડમાં પૂરતું વિટામિન ઈ હોય છે. જે બાળકો માટે ફાયદાકારક છે. જે બાળકોમાં અનુવંશિક બિમારી હોય તેમને વિટામિન ઈ સપ્લીમેન્ટ આપવા. બાળકોને લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, માખણ તથા તેલ ખાવામાં આપવું જોઈએ. કોઈપણ બાળક જેને એટેમિયા અને એનિમિયા થયો હોય તેને એકવાર વિટામિન ઈનો ટેસ્ટ જરૂર કરવો જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.