વર્ષ ૨૦૨૧નાં પ્રારંભ સાથે મોબાઈલ ફોનનાં બિલ ખિસ્સું હળવું કરશે, તબક્કાવાર ૧૫ થી ૨૦% વધારાનું આયોજન
વર્ષ ૨૦૨૧ના પ્રારંભ સાથે આપના ફોન બિલ 15-20% વધી શકે છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે વોડાફોન-આઈડિયા (VI) અને એરટેલ જેવી કંપનીઓ ટેલિકોમ ટેરિફમાં વધારો કરી શકે છે. મોબાઈલ કંપનીઓ વર્ષના અંત સુધી અથવા આવતા વર્ષના પ્રારંભમાં ટેરિફમાં 15-20% વધારો કરવા માગે છે.ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે નુકસાનને કારણે તેઓ ટેરીફમાં વધારો કરવા […]
વર્ષ ૨૦૨૧ના પ્રારંભ સાથે આપના ફોન બિલ 15-20% વધી શકે છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે વોડાફોન-આઈડિયા (VI) અને એરટેલ જેવી કંપનીઓ ટેલિકોમ ટેરિફમાં વધારો કરી શકે છે. મોબાઈલ કંપનીઓ વર્ષના અંત સુધી અથવા આવતા વર્ષના પ્રારંભમાં ટેરિફમાં 15-20% વધારો કરવા માગે છે.ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે નુકસાનને કારણે તેઓ ટેરીફમાં વધારો કરવા મજબૂર છે. જો કે સૂત્રો જણાવી રહ્યા છે કે ભાવ વધારા પેહલા અન્ય કંપનીઓનું ધ્યાન રિલાયન્સ જિયો પર પણ રહેશે.
તબક્કાવાર ટેરિફમાં વધારો થઇ શકે છે. એવી માહિતી છે કે ઘણી ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે પરંતુ એક સમયે આવા વધારાને કારણે ગ્રાહકોમાં ઘટાડો થવાનો પણ ભય છે માટે કંપનીઓ તબક્કાવાર કરવાનું નક્કી કરી શકે છે.જીઓના માર્કેટમાં પ્રવેશ બાદ સેક્ટરમાં મોટા બદલાવ આવ્યા છે.હજુ ગતવર્ષેજ ટેરિફ રેટ વધારવામાં આવ્યા હતા હવે ફરીએકવાર આ બાબતે વિચારણા શરુ કરાઈ છે. વર્ષ 2016 માં ટેલિકોમ માર્કેટમાં જિઓના પ્રવેશ સાથે પ્રાઈસ વોરની શરૂઆત થઈ હતી. વર્ષ 2019 માં કંપનીઓએ પહેલીવાર ટેરિફ વધાર્યો હતો. ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019 માં ટેરિફ રેટમાં વધારો કર્યો હતો.
સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા ક્વાર્ટર સુધીમાં ભારતી એરટેલે ગ્રાહક દીઠ સૌથી વધુ આવક કરી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતમાં VI ની વપરાશકર્તા દીઠ સરેરાશ ARPU 119 રૂપિયા છે જે સામે ભારતી એરટેલ રૂ. 162 અને જિઓ 145 રૂપિયા નોંધાવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો