પારડી તાલુકાના કોટલાવ ગામના દાદરી ફળિયામાં પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી,એક દિવસ સુધી ઘરે રાખી મુકવો પડ્યો મૃતદેહ,સ્થાનિક લોકોની પૂલ બનાવવાની માગ તંત્ર સુધી કેમ નથી પહોચતી?
વલસાડમાં વરસાદ આફતનું રૂપ જાણે લઈ રહ્યો છે. વલસાડ જિલ્લા ગ્રામ્ય પંથકમાં વરસાદ અટકવાનું નામ લથી લઈ રહ્યો જેને લઈને જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. વાત પારડી તાલુકાના કોટલાવ ગામની ઘટના વિશે કે જેમાં દાદરી મોરા ફળિયામાં ગઈકાલે એક આધેડનું મોત થઈ ગયા બાદ પણ તેની અંતિમવિધિ નોહતી થઈ શકી હતી. ફળિયાની ચારે તરફ પાણી […]
વલસાડમાં વરસાદ આફતનું રૂપ જાણે લઈ રહ્યો છે. વલસાડ જિલ્લા ગ્રામ્ય પંથકમાં વરસાદ અટકવાનું નામ લથી લઈ રહ્યો જેને લઈને જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. વાત પારડી તાલુકાના કોટલાવ ગામની ઘટના વિશે કે જેમાં દાદરી મોરા ફળિયામાં ગઈકાલે એક આધેડનું મોત થઈ ગયા બાદ પણ તેની અંતિમવિધિ નોહતી થઈ શકી હતી. ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યાં હોવાથી અંતિમયાત્રા જ નોહતી કાઢી શકાઈ, આજે બીજા દિવસે પણ પાણી નહી ઉતરતા મૃતકના પરિવારજનોએ પાણીમાં રહીને મૃતદેહને લઈને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. કોટલાવ ગામ નજીકથી પસાર થતી ખાડીમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે અને છેલ્લા ઘણા સમયથી પુલ બનાવવા લોકોની ઉગ્ર માગ હોવા છતા પણ તંત્ર કોઈ તેના પર ધ્યાન નથી આપી રહ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code