વગર ઓશિકાએ ઊંઘવાના આ 5 ફાયદા જાણવા માટે વાંચો આ લેખ
જો તમને વર્ષોથી માથા નીચે ઓશીકું લગાવીને સૂવાની આદત છે અને જો તમે વિચારો છો કે વગર ઓશિકાના સૂવાથી ગરદનનો દુખાવો થઈ શકે છે તો તમે ખોટા છો. પરંતુ વગર ઓશિકાએ ઊંઘવાથી તમને ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો હજુ તમે તેનાથી અજાણ છો તો આવો જાણીએ, વગર ઓશીકાએ સુવાથી કયા […]
જો તમને વર્ષોથી માથા નીચે ઓશીકું લગાવીને સૂવાની આદત છે અને જો તમે વિચારો છો કે વગર ઓશિકાના સૂવાથી ગરદનનો દુખાવો થઈ શકે છે તો તમે ખોટા છો. પરંતુ વગર ઓશિકાએ ઊંઘવાથી તમને ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો હજુ તમે તેનાથી અજાણ છો તો આવો જાણીએ, વગર ઓશીકાએ સુવાથી કયા 5 ફાયદા થાય છે ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો તમને ઘણીવાર પીઠ, કમર અથવા તો આસપાસની માંસપેશીઓમાં દુખાવો થાય છે તો વગર ઓશિકાએ ઊંઘવાનું શરૂ કરી દો.વાસ્તવમાં આ સમસ્યા કરોડરજ્જુના હાડકાંને કારણે થાય છે. જેનું પ્રમુખ કારણ તમારી ઊંઘવાની રીત છે. વગર ઓશીકાએ સુવા પર કરોડરજ્જુના હાડકા સીધા રહેશે અને તમને આ સમસ્યા ઓછી થઈ જશે. સામાન્ય રીતે ગરદન અથવા તો ખભાની પાછળના ભાગમાં દુખાવાનું કારણ ઓશીકુ જ હોય છે. વગર ઓશિકાએ ઊંઘવાથી આ અંગોમાં રક્ત સંચાર સારો થશે અને તમને આ દુખાવાથી રાહત મળશે.
કેટલીકવાર ખોટા ઓશિકાના ઉપયોગથી પણ તમને માનસિક સમસ્યા થઈ શકે છે. જો ઓશીકુ કડક છે તે તમારા મગજ પર ખોટું દબાણ ઉભું કરી શકે છે, જેના કારણે માનસિક વિકારની સંભાવનાઓ વધી જાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે વગર ઓશીકા ઊંઘવાથી તમને સારી ઉંઘ આવે છે અને તમે સાથે આરામદાયક ઊંઘ મેળવી શકો છો. જેની અસર તમારા મૂડ અને સ્વાસ્થ્ય પર પડે છે. જો તમે પોતાનો ચહેરો ઓશીકાને તરફ વાળીને અથવા ઓશિકાની અંદર મોઢું નાંખીને ઊંઘો છો તો તે આદત તમારા ચહેરા પર કરચલી પેદા કરી શકે છે. આ ઉપરાંત આ રીત ચહેરા પર કલાકો સુધી દબાણ બનાવી રાખે છે. જેનાથી રક્ત સંચાર પ્રભાવિત થાય છે અને તમને ચહેરાની સમસ્યા થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.