વડોદરાના દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય સહિત 4 સામે ગુનો, પોલીસે ટ્રાન્સફર વોરંટથી મેળવ્યો કબ્જો
વડોદરામાં દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરૂ પ્રશાંતનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી પોલીસે કબજો મેળવી લીધો છે. સેવિકા સાથે દુષ્કર્મ કેસ મામલે પ્રશાંત ઉપાધ્યાય સહિત 4 સામે ગુનો નોંધાયો છે. ટ્રાન્સફર વોરંટથી સેન્ટ્રલ જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો છે. અને હવે પ્રાથમિક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેની ધરપકડ કરાશે.મહત્વનું છે ગઇકાલે પ્રશાંતની ધરપકડ બાદ તેને ગોત્રી પોલીસ સ્ટેશને લાવવામાં […]
વડોદરામાં દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરૂ પ્રશાંતનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી પોલીસે કબજો મેળવી લીધો છે. સેવિકા સાથે દુષ્કર્મ કેસ મામલે પ્રશાંત ઉપાધ્યાય સહિત 4 સામે ગુનો નોંધાયો છે. ટ્રાન્સફર વોરંટથી સેન્ટ્રલ જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો છે. અને હવે પ્રાથમિક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેની ધરપકડ કરાશે.મહત્વનું છે ગઇકાલે પ્રશાંતની ધરપકડ બાદ તેને ગોત્રી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પીડિતાએ પ્રશાંત વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પ્રશાંત છેતરપિંડીના કેસમાં સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે ગોત્રી પોલીસે વધુ પુછપરછ માટે ટ્રાન્સફર વોરંટથી હાલ કબજો મળ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો