વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 9 લોકોનાં મોત 17 જેટલા મુસાફરો ઘાયલ, તમામ લોકો સુરતનાં રહેવાસી હોવાનું ખુલ્યું
વડોદરાના વાઘોડિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 9 લોકો કાળનો કોળિયો બની ગયા. રાત્રે 3 વાગ્યાની આસપાસ વાઘોડિયા ચોકડી પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા 9 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા […]
વડોદરાના વાઘોડિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 9 લોકો કાળનો કોળિયો બની ગયા. રાત્રે 3 વાગ્યાની આસપાસ વાઘોડિયા ચોકડી પર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા 9 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ તમામ લોકો સુરતના વતની છે. તેઓ ટેમ્પોમાં સવાર થઈને પાવાગઢ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા કલેક્ટર શાલિની અગ્રવાલ હોસ્પિટલ દોડી આવ્યા હતા તેમણે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રને સૂચના આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો