સુરત પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, ઉત્તરાયણને પગલે શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ
સુરત પોલીસે ઉત્તરાયણને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતના તમામ ઓવરબ્રિજ પરથી બે દિવસ માટે ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉતરાયણ પર્વે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુવ્હીલર પર પ્રતિબંધ છે. 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. Web Stories View more […]
સુરત પોલીસે ઉત્તરાયણને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતના તમામ ઓવરબ્રિજ પરથી બે દિવસ માટે ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉતરાયણ પર્વે 6 કલાકથી 15મીના રાત્રે 11 કલાક સુધી ઓવર બ્રિજ પર ટુવ્હીલર પર પ્રતિબંધ છે. 42 કલાક માટે માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સમયગાળા દરમિયાન બ્રિજ પરથી પસાર થનારા સામે IPC કલમ 188 અને ગુજરાત પોલીસ કલમ 131 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉત્તરાયણમાં દોરીથી કોઈને ઈજા ન થાય તે માટે પોલીસે ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.
પરંતુ જે ટુ વ્હીલરની આગળ રિંગ લગાવી હશે તેને જવા દેવામાં આવશે. જો કે તાપી નદી પરના તમામ પુલ પરથી ટુ વ્હીલર ચાલકો અવર જવર કરી શકશે. સુરત પોલીસનું જાહેરનામું ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે છે. ત્યારે વાહન ચાલકો જાહેરનામાને આવકારી રહ્યાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: ઉત્તરાયણ પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ઊંધીયું, ચિક્કી વેચતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ