જો અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ રહ્યો તો આ વસ્તુઓની આયાત નિકાસ જશે અટકી!
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સ્થિતિ છે અને તેને લઈને આતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ઈરાકના બગદાદ એરપોર્ટની બહાર એમક્યુ 9 ડ્રોનથી મિસાઈલ દાગીને ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને નિશાન બનાવ્યા. આ હુમલો સીધી જ રીતે ઈરાની સેના પર અમેરિકાએ કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સ્થિતિ છે અને તેને લઈને આતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ઈરાકના બગદાદ એરપોર્ટની બહાર એમક્યુ 9 ડ્રોનથી મિસાઈલ દાગીને ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને નિશાન બનાવ્યા. આ હુમલો સીધી જ રીતે ઈરાની સેના પર અમેરિકાએ કર્યો છે.
ઈરાનમાં બીજા સૌથી તાકાતવર વ્યક્તિ તરીકે સુલેમાની જાણીતા અને અમેરિકાએ તેને જ હવાઈ હુમલામાં ઠાર કર્યા. આ બાદ 4 જાન્યુઆરીના રોજ અમેરિકાના ઈરાક ખાતેના દૂતાવાસની નજીક રોકેટનો મારો ચલાવવામાં આવ્યો. ઈરાને કહ્યું કે તેઓ આ મોતનો બદલો લેશે. જો કે અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાન કોઈ હુમલો કરશે તો અમેરિકા તેના 52 ઠેકાણાઓને તબાહ કરી નાખશે.
ભારત અને ઈરાન વચ્ચે આ વસ્તુઓનો થાય છે વ્યાપાર ભારત અને ઈરાન વચ્ચે જોવા જઈએ તો ભારત ઈરાન પાસેથી મોટા પાયે કાચા તેલની આયાત કરે છે. આ સિવાય ખાતર અને રસાયણની આયાત પણ ભારત ઈરાન પાસેથી કરે છે. આ બાજુ ભારત પણ ઈરાનને અનાજ, ચા, કોફી, બાસમતી ચોખા, મસાલા અને ઓર્ગેનિક કેમિકલની નિકાસ કરે છે. આમ ભારત અને ઈરાન વચ્ચે વેપાર અરબો રુપિયામાં થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધે તો ભારત સાથેના વેપાર પર અસર પડી શકે છે. આ બાબતે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગનાઈઝેશને ચિંતા પણ વ્યક્ત કરી છે. હાલ કોઈ વેપાર પર અસર પડી નથી પણ જો આ તણાવ વધશે તો વેપારમાં અસર પડી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]