UP: વાવાઝોડા અને વીજળી પડવાના કારણે 19 લોકોના મોત, 6 મંત્રીઓ લેશે અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત
ઉત્તરપ્રદેશમાં ગુરુવાર રાતે વાવાઝોડાના કારણે અને વિજળી પડતા દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે. મૈનપુરીમાં સૌથી વધારે 6 લોકોના મોત થયા છે. હવામાન વિભાગના નિયામક જેપી ગુપ્તાએ શુક્રવારે જણાવ્યું કે વાવાઝોડાનું જોખમ હજુ ટળ્યું નથી. આગામી બેથી ત્રણ દિવસો સુધી મુશ્કેલી યથાવત રહેશે. લોકોને વાવાઝોડા દરમિયાન સર્તક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. મૈનપુરી, એટા, […]
ઉત્તરપ્રદેશમાં ગુરુવાર રાતે વાવાઝોડાના કારણે અને વિજળી પડતા દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે. મૈનપુરીમાં સૌથી વધારે 6 લોકોના મોત થયા છે. હવામાન વિભાગના નિયામક જેપી ગુપ્તાએ શુક્રવારે જણાવ્યું કે વાવાઝોડાનું જોખમ હજુ ટળ્યું નથી. આગામી બેથી ત્રણ દિવસો સુધી મુશ્કેલી યથાવત રહેશે. લોકોને વાવાઝોડા દરમિયાન સર્તક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
મૈનપુરી, એટા, કાસગંજ , મુરાદાબાદ , મહોબા , હમીરપુર,ફરુખાબાદ , બદાયૂંમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિત પરિવારો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે. સાથે જ રાહત કમિશનરે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચલાવામાં આવી રહ્યું છે. રાહત કાર્ય અને બચાવ કામગીરીના નિરીક્ષણ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 6 પ્રભારી મંત્રીઓને આદેશ કર્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]