કમોસમી વરસાદમાં થયેલા નુકસાન માટે પેકેજ આપવા કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ કરી માગ
કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન માટે પેકેજ આપવા કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ માગ કરી છે. તેમણે કહ્યુ કે, કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, ધાણા, જીરું, રાઇ, રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. તેમણે માગ કરી છે કે, દરેક પાકમાં ખેડૂતોને થયેલા પડતર ખર્ચ, મજૂરી જેટલું વળતર તો રાજ્ય સરકારે આપવું જ જોઇએ. […]
કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન માટે પેકેજ આપવા કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલિયાએ માગ કરી છે. તેમણે કહ્યુ કે, કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, ધાણા, જીરું, રાઇ, રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. તેમણે માગ કરી છે કે, દરેક પાકમાં ખેડૂતોને થયેલા પડતર ખર્ચ, મજૂરી જેટલું વળતર તો રાજ્ય સરકારે આપવું જ જોઇએ. એટલું જ નહિં તેમણે એવો પણ દાવો કર્યો છે કે, ચોમાસું પાકમાં સરકારે 3 હજાર 793 કરોડનું પેકેજ જાહેર કર્યુ હતું, તેમાંથી માત્ર 1 હજાર 229 કરોડ જ ખેડૂતોને સહાય રૂપે આપવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી