UAPA બિલમાં છે એવી ખાસ તાકાત કે જેનો સાચો ઉપયોગ થયો તો દેશમાંથી આતંકવાદ થઈ જશે જડમૂળથી નાબૂદ
અનલૉફૂલ એક્ટીવીટીઝ પ્રિવેશન એક્ટ(UAPA)માં સંશોધન કરેલું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલને લઈને વિવાદ ઉભો થયો હતો અને કોંગ્રેસે સંસદમાંથી વોકઆઉટ પણ કરી દીધું હતું. બિલના વોટિંગ પહેલાં જ કોંગ્રેસે વોક આઉટ કરી દીધું હતું. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો […]
અનલૉફૂલ એક્ટીવીટીઝ પ્રિવેશન એક્ટ(UAPA)માં સંશોધન કરેલું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલને લઈને વિવાદ ઉભો થયો હતો અને કોંગ્રેસે સંસદમાંથી વોકઆઉટ પણ કરી દીધું હતું. બિલના વોટિંગ પહેલાં જ કોંગ્રેસે વોક આઉટ કરી દીધું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ બિલ દેશ માટે જરુરી કેમ છે?
અમિત શાહે આ બિલને લઈને લોકસભામાં ચર્ચા કરતાં કહ્યું કે દેશમાં એનઆઈએની પાસે એવો અધિકાર છે કે તે કોઈપણ સંગઠનને આતંકવાદી જાહેર કરી શકે છે પણ એવો કોઈ જ અધિકાર કાયદાના માધ્યમથી નથી કે કોઈ એક વ્યક્તિ જે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે તેને આતંકવાદી જાહેર કરી શકાય. તેમણે યાસીન ભટ્ટકલનું ઉદાહરણ ટાંક્યું અને કહ્યું કે એનઆઈએએ પોતાની તપાસ બાદ ઈન્ડિયન મુજાહુદ્દીનને તો આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું પણ યાસીન ભટ્ટકલને આતંકવાદી જાહેર કરી શકાયો નથી.
Link of Union Home Minister Shri @AmitShah‘s reply on Unlawful Activities (Prevention) Amendment Bill 2019 in Lok Sabha.https://t.co/z14bPHwDmI
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) July 24, 2019
આ વાતનો ફાયદો ઉઠાવીને યાસીન ભટ્ટકલે 12 આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. અમિત શાહે વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિના મનમાં જ આતંકવાદ છે તો તેના સંગઠનને પ્રતિબંધ કરવાથી કંઈ પણ નહીં થાય. તે પોતાનું નવું સંગઠન બનાવી લેશે. આ વાતના લીધે વ્યક્તિને આતંકવાદી ઘોષિત કરી શકાય એવું પ્રાવધાન લાવવું જરુરી છે. આ બાબતે અમિત શાહે અમેરિકા, યુએન, ચીન, ઈઝરાયલ અને પાકિસ્તાન જેવા દેશના ઉદાહરણ પણ આપ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેમણે કહ્યું કે ઈંદિરા ગાંધીની સરકાર આ કાયદો લાવી હતી. અમે આજ તેમાં નાનકડું સંશોધન કરી રહ્યાં છે તો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. તે સમયે બિલમાં સંશોધન કરવામાં આવ્યું તે પણ યોગ્ય હતું અને આજે અમે જે કરી રહ્યાં છે તે પણ યોગ્ય જ છે. આતંકવાદી બંદૂકથી જ પેદા થાય એવું નથી તે પ્રચાર અને ઉન્માદથી પણ પેદા થઈ શકે. આવું કરનારાઓને આતંકવાદી ઘોષિત કરવામાં કોઈને આપત્તિ કેમ થઈ રહી છે. અમિત શાહે કહ્યું કે સરકાર આ કાનૂનના માધ્યમથી કોઈપણના કમ્પ્યુટરમાં ઘૂસી જશે, જો આતંકવાદ સાથે જોડાયેલું કામ કરશો તો પોલીસ જરુર કમ્પ્યુટરમાં ઘૂસી જશે.
[yop_poll id=”1″]
વિપક્ષનો આટલો બધો હોબાળો શા માટે?
Lok Sabha passes The Unlawful Activities (Prevention) Amendment Bill 2019 pic.twitter.com/RmBkXYvIAT
— Lok Sabha TV (@loksabhatv) July 24, 2019
विधि विरुद्ध क्रियाकलाप निवारण संशोधन विधेयक को स्टैंडिंग कमेटी को भेजे जाने की मांग पर कांग्रेस का #लोकसभा से वॉक आउट pic.twitter.com/osySGdOjVR
— Lok Sabha TV (@loksabhatv) July 24, 2019
ભારતમાં એવું થઈ રહ્યું છે કે આતંકવાદી સંગઠનને જાહેર કરવાની ક્ષમતા એનઆઈએની પાસે છે પણ વ્યક્તિ જેનું આ સંગઠન છે તેમને આતંકવાદી ઘોષિત કરવાનું કોઈ જ પ્રાવધાન નથી. વૈશ્વિક સ્તરે પણ આપણે કોઈ આતંકવાદીને પ્રતિબંધિત કરવાની માગણી કરીએ છીએ પણ જે-તે દેશની સરકાર પાસે જ આવો કોઈ કાનૂન ના હોય તો શું અપેક્ષા રાખી શકાય?
I opposed the amendments to the UAPA Bill in the Lok Sabha today. The bill is not only draconian but will also be a tool to stifle not only the minorities but all voices of dissent. https://t.co/4Wd1r1jgIy
— Asaduddin Owaisi (@asadowaisi) July 24, 2019
આમ સરકાર આ પક્ષે જોર આપી રહી છે કે વ્યક્તિને આતંકવાદી જાહેર કરવામાં મદદ મળશે જ્યારે વિપક્ષ કહી રહ્યું છે આ બિલ પાસ થયું અને જો કાયદો આવ્યો તો સરકાર તેનો દૂરપયોગ કરી શકે છે. આ બિલના લીધે વિશેષાધિકાર તપાસ એજન્સીઓને મળે છે અને તેના લીધે અંગત બાબતો પ્રત્યે પણ જોખમ ઉભું થઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]