UAPA બિલમાં છે એવી ખાસ તાકાત કે જેનો સાચો ઉપયોગ થયો તો દેશમાંથી આતંકવાદ થઈ જશે જડમૂળથી નાબૂદ

અનલૉફૂલ એક્ટીવીટીઝ પ્રિવેશન એક્ટ(UAPA)માં સંશોધન કરેલું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલને લઈને વિવાદ ઉભો થયો હતો અને કોંગ્રેસે સંસદમાંથી વોકઆઉટ પણ કરી દીધું હતું. બિલના વોટિંગ પહેલાં જ કોંગ્રેસે વોક આઉટ કરી દીધું હતું. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો […]

UAPA બિલમાં છે એવી ખાસ તાકાત કે જેનો સાચો ઉપયોગ થયો તો દેશમાંથી આતંકવાદ થઈ જશે જડમૂળથી નાબૂદ
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 4:54 PM

અનલૉફૂલ એક્ટીવીટીઝ પ્રિવેશન એક્ટ(UAPA)માં સંશોધન કરેલું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલને લઈને વિવાદ ઉભો થયો હતો અને કોંગ્રેસે સંસદમાંથી વોકઆઉટ પણ કરી દીધું હતું. બિલના વોટિંગ પહેલાં જ કોંગ્રેસે વોક આઉટ કરી દીધું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બિલ દેશ માટે જરુરી કેમ છે? 

અમિત શાહે આ બિલને લઈને લોકસભામાં ચર્ચા કરતાં કહ્યું કે દેશમાં એનઆઈએની પાસે એવો અધિકાર છે કે તે કોઈપણ સંગઠનને આતંકવાદી જાહેર કરી શકે છે પણ એવો કોઈ જ અધિકાર કાયદાના માધ્યમથી નથી કે કોઈ એક વ્યક્તિ જે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે તેને આતંકવાદી જાહેર કરી શકાય. તેમણે યાસીન ભટ્ટકલનું ઉદાહરણ ટાંક્યું અને કહ્યું કે એનઆઈએએ પોતાની તપાસ બાદ ઈન્ડિયન મુજાહુદ્દીનને તો આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું પણ યાસીન ભટ્ટકલને આતંકવાદી જાહેર કરી શકાયો નથી.

આ વાતનો ફાયદો ઉઠાવીને યાસીન ભટ્ટકલે 12 આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. અમિત શાહે વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિના મનમાં જ આતંકવાદ છે તો તેના સંગઠનને પ્રતિબંધ કરવાથી કંઈ પણ નહીં થાય. તે પોતાનું નવું સંગઠન બનાવી લેશે. આ વાતના લીધે વ્યક્તિને આતંકવાદી ઘોષિત કરી શકાય એવું પ્રાવધાન લાવવું જરુરી છે. આ બાબતે અમિત શાહે અમેરિકા, યુએન, ચીન, ઈઝરાયલ અને પાકિસ્તાન જેવા દેશના ઉદાહરણ પણ આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેમણે કહ્યું કે ઈંદિરા ગાંધીની સરકાર આ કાયદો લાવી હતી. અમે આજ તેમાં નાનકડું સંશોધન કરી રહ્યાં છે તો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. તે સમયે બિલમાં સંશોધન કરવામાં આવ્યું તે પણ યોગ્ય હતું અને આજે અમે જે કરી રહ્યાં છે તે પણ યોગ્ય જ છે. આતંકવાદી બંદૂકથી જ પેદા થાય એવું નથી તે પ્રચાર અને ઉન્માદથી પણ પેદા થઈ શકે. આવું કરનારાઓને આતંકવાદી ઘોષિત કરવામાં કોઈને આપત્તિ કેમ થઈ રહી છે. અમિત શાહે કહ્યું કે સરકાર આ કાનૂનના માધ્યમથી કોઈપણના કમ્પ્યુટરમાં ઘૂસી જશે, જો આતંકવાદ સાથે જોડાયેલું કામ કરશો તો પોલીસ જરુર કમ્પ્યુટરમાં ઘૂસી જશે.

[yop_poll id=”1″]

વિપક્ષનો આટલો બધો હોબાળો શા માટે? 

ભારતમાં એવું થઈ રહ્યું છે કે આતંકવાદી સંગઠનને જાહેર કરવાની ક્ષમતા એનઆઈએની પાસે છે પણ વ્યક્તિ જેનું આ સંગઠન છે તેમને આતંકવાદી ઘોષિત કરવાનું કોઈ જ પ્રાવધાન નથી. વૈશ્વિક સ્તરે પણ આપણે કોઈ આતંકવાદીને પ્રતિબંધિત કરવાની માગણી કરીએ છીએ પણ જે-તે દેશની સરકાર પાસે જ આવો કોઈ કાનૂન ના હોય તો શું અપેક્ષા રાખી શકાય?

આમ સરકાર આ પક્ષે જોર આપી રહી છે કે વ્યક્તિને આતંકવાદી જાહેર કરવામાં મદદ મળશે જ્યારે વિપક્ષ કહી રહ્યું છે આ બિલ પાસ થયું અને જો કાયદો આવ્યો તો સરકાર તેનો દૂરપયોગ કરી શકે છે. આ બિલના લીધે વિશેષાધિકાર તપાસ એજન્સીઓને મળે છે અને તેના લીધે અંગત બાબતો પ્રત્યે પણ જોખમ ઉભું થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">