આણંદમાં અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશજીની અનોખી મૂર્તિનું સ્થાપન, જુઓ VIDEO

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ભલે કુદરતના રંગોને જોઈ શકતા નથી પણ અનુભૂતિ તો તેઓ પણ કરતા હોય છે ,ત્યારે વિદ્યાનગરના અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશ મહોત્સવમાં અનોખી પહેલ કરવામાં આવી છે. Web Stories View more એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા આજનું રાશિફળ તારીખ 28-03-2024 IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા […]

આણંદમાં અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશજીની અનોખી  મૂર્તિનું સ્થાપન, જુઓ VIDEO
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 03, 2019 | 8:20 AM

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ભલે કુદરતના રંગોને જોઈ શકતા નથી પણ અનુભૂતિ તો તેઓ પણ કરતા હોય છે ,ત્યારે વિદ્યાનગરના અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશ મહોત્સવમાં અનોખી પહેલ કરવામાં આવી છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

આણંદ.પ્રજ્ઞાચક્ષુ લોકો ભલે દુનિયાના રંગો જોઈ શકતા નથી પણ પર્યાવરણની રક્ષા માટે અનોખી પહેલ વિદ્યાનગરમાં કરી છે .POP કે માટીના બદલે ફટકડીના ગણેશનું સ્થાપન કરી સમાજમાં નવો ચીલો ચિતર્યો.200 કિલો ફટકડીના ગણેશજીની પ્રતિમાનું વિદ્યાનગર માં સ્થાપન કરવામાં આવ્યું.દુનિયાના પ્રથમ યુવા પ્રજ્ઞાચક્ષુ મહિલાસરપંચ રહી ચૂકેલા ચાંગા ગામના પૂર્વ સરપંચ સુધા પટેલની અનોખી પહેલ.

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, २ सप्टेंबर, २०१९

રાજ્યમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, રાજ્યના જુદા જુદા શહેરો અને ગામડાઓમાં જુદા જુદા મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મોટાભાગે લોકો સસ્તી અને દેખાવમાં આકર્ષક લાગતી POPની મૂર્તિઓનું સ્થાપન કરતા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકાર દ્વારા જુદા જુદા માધ્યમોથી પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની મૂર્તિઓ ન ખરીદવાની અપીલ તો કરવામાં આવતી હોય છે પણ મોટાભાગના કિસ્સાઓમાં આ વાતનો અમલ લોકો કરતા નથી, ત્યારે વિદ્યાનગર ખાતે આવેલી રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા દ્વારા પોતાના કેમ્પસમાં POPની જગ્યાએ 200 કિલો વજનની ફટકડીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3 ફૂટની ઉંચાઈ ધરાવતા ગણેશજીની મૂર્તિ વડોદરા ખાતે તેયાર કરાવવામાં આવી હતી અને ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ તેનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે આ મૂર્તિને કારણે પાણીમાં પ્રદુષણ બિલકુલ ફેલાશે નહિ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ સમાજના સંચાલક સુધા પટેલે જણાવ્યું કે યુવક મંડળો ,ધાર્મિક સંસ્થાઓ, દ્વારા ગણેશ પૂજનની વિધિ કરવામાં આવે છે ,માટી કે ફટકડીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. ત્યારે અંધજન મંડળના સંયોજન ચિરાગ પટેલે જણાવ્યું કે ફટકડીની મૂર્તિ અમે વડોદરામાં બનાવડાવી છે અને તેના માટે રૂપિયા 12 હજારનો ખર્ચ થયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">