કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
દેશભરમાં કોરોનાના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ગડકરીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે અને હાલમાં તે સેલ્ફ સાઈસોલેશનમાં છે. નિતિન ગડકરીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગરના સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. […]
દેશભરમાં કોરોનાના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ગડકરીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે અને હાલમાં તે સેલ્ફ સાઈસોલેશનમાં છે. નિતિન ગડકરીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગરના સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે. આ પૂર્વે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિસ સોલંકી અને શંકરસિહ વાઘેલાને પણ કોરોના થઇ ચૂક્યો છે
Union Minister Nitin Gadkari tests positive for #COVID19#coronavirus #Covid_19 #TV9News pic.twitter.com/oooTZkc8nF
— tv9gujarati (@tv9gujarati) September 16, 2020
ત્યારે ધારાસભ્ય કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, હર્ષ સંઘવી અને મંત્રી રમણ પાટકર સહીતના લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા,નિરંજન પટેલ,કાન્તિ ખરાડી,ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો