લંડનની બેંકમાં હૈદરાબાદના નિઝામના અબજો રૂપિયા પર કોર્ટનો ચુકાદો…ભારતને મળશે હક, પાકિસ્તાને કર્યો હતો દાવો
હૈદરાબાદના નિઝામના ફંડને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં બ્રિટેનની એક હાઈકોર્ટે ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ભારતના વિભાજન દરમિયાન નિઝામની લંડન ખાતે એક બેંકમાં જમા રકમને લઈ બંને દેશ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. નિઝામના વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેના નાના ભાઈ આ કેસમાં ભારત સરકાર સાથે હતા. દેશના વિભાજન દરમિયાન હૈદરાબાદના 7માં નિઝામ […]
હૈદરાબાદના નિઝામના ફંડને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં બ્રિટેનની એક હાઈકોર્ટે ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ભારતના વિભાજન દરમિયાન નિઝામની લંડન ખાતે એક બેંકમાં જમા રકમને લઈ બંને દેશ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. નિઝામના વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેના નાના ભાઈ આ કેસમાં ભારત સરકાર સાથે હતા. દેશના વિભાજન દરમિયાન હૈદરાબાદના 7માં નિઝામ મીર ઉસ્માન અલી ખાનના લંડનની નેટવેસ્ટ બેંકમાં 8 કરોડ 87 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ રકમ અત્યારે વધીને 3 અરબ 8 કરોડ 40 લાખ રૂપિયા થઈ ચૂકી છે. આ ભારી રકમ પર બંને દેશ પોતાનો હક દર્શાવતા હતા. કેસની સુનાવણી દરમિયાન લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ માર્કસ સ્મિથે કહ્યું કે, હૈદરાબાદના 7મા નિઝામ ઉસ્માન અલી ખાન આ રકમના માલિક હતા. જે બાદ તેમના વારસદારો અને ભારત આ રકમના અધિકારી બનશે. હૈદરાબાદના તત્કાલીન નિઝામે 1948માં બ્રિટેનમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને આ રકમ મોકલી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતનું સમર્થન કરનારા નિઝામના વારસદાર આ રકમ પર પોતાનો હક દર્શાવે છે. જો કે પાકિસ્તાન પણ પોતાનો દાવો કરી રહ્યું છે. હૈદરાબાદના નિઝામની તરફથી પૉલ હેવિટે કહ્યું કે, અમને ખૂશી છે કે, કોર્ટે અમારા પક્ષમાં આ નિર્ણય આપ્યો છે. આ વિવાદ 1948થી ચાલી રહ્યો હતો.