VIDEO: મહારાષ્ટ્રની રાજનીતિમાં વિધાનસભાની ચૂંટણી NCPના ઉદયન રાજે ભોંસલેએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો
રાજકારણમાં પક્ષપલટો કરવો તે કોઈ નવી વાત નથી. પણ જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જે ફેરફારો થઈ રહ્યા છે. તે ઉડીને આંખે વળગે તેવા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ રહેલા આ ફેરફારોને કારણે જ્યાં એક તરફ કોંગ્રેસ-એનસીપીની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યાં બીજી તરફ ભાજપ વધુ મજબૂત બની રહ્યું છે. આ પણ વાંચોઃ […]
રાજકારણમાં પક્ષપલટો કરવો તે કોઈ નવી વાત નથી. પણ જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જે ફેરફારો થઈ રહ્યા છે. તે ઉડીને આંખે વળગે તેવા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ રહેલા આ ફેરફારોને કારણે જ્યાં એક તરફ કોંગ્રેસ-એનસીપીની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યાં બીજી તરફ ભાજપ વધુ મજબૂત બની રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉદયન રાજે ભોંસલેએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ઉદયાનરાજે સતારાથી એનસીપીના સાંસદ હતા. ઉદયાનરાજે ભાજપમાં સામેલ થતાની સાથે એનસીપી અધ્યક્ષ શરદ પવારને મોટો ઝાટકો લાગ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ઉદયન રાજે આજે ભાજપમાં જોડાયા છે. ઉદયનરાજે ભોંસલે મરાઠા રાજા છત્રપતિ શિવાજીના વશંજ હોવાથી આ ક્ષેત્રમાં રાજકીય પીઠબળ ધરાવે છે. ભોંસલેએ જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ સાથે સહમત છે અને મહારાષ્ટ્રમાં તેઓ ભાજપના નેતા તરીકે કામ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો