જાણો કેવી રીતે લોખંડ-સ્ટીલ વગર UAEમાં પ્રથમ હિન્દૂ મંદિરનું થશે નિર્માણ
સંયૂક્ત અરબ અમીરાત (UAE)ની રાજધાની અબૂધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરના નિર્માણમાં લોખંડ કે તેનાથી બનેલી સામગ્રીનો ઉપયોગ નહીં થાય. તેનું નિર્માણ ભારતની પારંપરિક મંદિર વાસ્તુકલા હેઠળ કરવામાં આવશે. મંદિર સમિતિના અધિકારીઓેએ આ જાણકારી આપી છે. મંદિરના શિલાન્યાસના બે વર્ષ બાદ તેના પાયામાં ફ્લાય એશ કોંક્રિટ ભરવાનું કામ પૂર્ણ થયું. તે દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો […]
સંયૂક્ત અરબ અમીરાત (UAE)ની રાજધાની અબૂધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરના નિર્માણમાં લોખંડ કે તેનાથી બનેલી સામગ્રીનો ઉપયોગ નહીં થાય. તેનું નિર્માણ ભારતની પારંપરિક મંદિર વાસ્તુકલા હેઠળ કરવામાં આવશે. મંદિર સમિતિના અધિકારીઓેએ આ જાણકારી આપી છે. મંદિરના શિલાન્યાસના બે વર્ષ બાદ તેના પાયામાં ફ્લાય એશ કોંક્રિટ ભરવાનું કામ પૂર્ણ થયું. તે દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો મંદિર સ્થળ પર હાજર રહ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મંદિર સમિતિના પ્રવક્તા અશોક કોટેચાએ જણાવ્યું કે સામાન્ય રીતે પાયામાં કોંક્રિટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતની પારંપરિક મંદિર વાસ્તુકલા મુજબ આ મંદિરના નિર્માણમાં સ્ટીલ અથવા તેમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેમને કહ્યું પાયાને મજબૂત બનાવવા માટે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં સંયૂક્ત અરબ અમીરાતમાં દુબઈના ઓપેરા હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા BAPS મંદિરની આધારશિલા રાખી હતી. UAEમાં ભારતીય મૂળના 30 લાખથી વધારે લોકો રહે છે. આ મંદિર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ચીનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં વધુ 139 લોકોના મોત
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]