UAEની રાજધાની અબુધાબીમાં બનનારા BAPSના ભવ્ય મંદિરની ડિઝાઈન તૈયાર થઈ, અબુધાબી સ્થિત ભારતીય દુતાવાસે ટ્વિટ કરીને આપી જાણકારી
UAEની રાજધાની અબુધાબીમાં બનનારા BAPSના ભવ્ય મંદિરની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે. અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને તે અંગેની જાણકારી આપી. અબુધાબીથી 30 મિનિટના અંતરે આવેલા અલ વાક્બાના 20 હજાર મીટર વિસ્તારમાં ભવ્ય મંદિર બનશે. જે માટે 25 હજાર ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરાશે. આ મંદિરના પથ્થરો માટે રાજસ્થાન અને ગુજરાતમાં સુંદર કોતરણી કરવામાં આવી […]
UAEની રાજધાની અબુધાબીમાં બનનારા BAPSના ભવ્ય મંદિરની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે. અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને તે અંગેની જાણકારી આપી. અબુધાબીથી 30 મિનિટના અંતરે આવેલા અલ વાક્બાના 20 હજાર મીટર વિસ્તારમાં ભવ્ય મંદિર બનશે. જે માટે 25 હજાર ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરાશે. આ મંદિરના પથ્થરો માટે રાજસ્થાન અને ગુજરાતમાં સુંદર કોતરણી કરવામાં આવી છે. આ મંદિરના અગ્રભાગને હિંદુ ગ્રંથના મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ, ખાડી દેશમાં લોકપ્રિય રૂપાંકનોના દ્રશ્યોથી સુશોભિત કરાશે. આ મંદિરનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો